#MannKiBaat દેશના સહુ નાગરિકો માટે કંઈક નવીન જ્ઞાન સાથે વિચારો વહેંચવાનું તેમજ શીખવાનું ઉત્કૃષ્ટ માધ્યમ બન્યું છે, ત્યારે જનતાના હૃદયની અનુભૂતિને વાચા આપતા PM નરેન્દ્રભાઈ મોદીજી ના “મન કી બાત” કાર્યક્રમનું પ્રદેશ અધ્યક્ષ સી.આર પટેલ સાહેબ ની સુચના અને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાજી ના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા શહેરના વોર્ડ નં.1 ના બુથ નંબર 167 ના મન કી બાત કાર્યક્રમનું અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.
આ તકે શહેર યુવા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જોશી, પૂર્વ શહેર ભાજપ કોષાધ્યક્ષ રવિન્દ્રભાઈ ધંધુકિયા, શહેર યુવા ભાજપ કારોબારી સભ્ય અમિતભાઈ પાનસુરીયા, કિશાન મોરચાના કારોબારી સભ્ય કાળુભાઈ બુહા, પોપટભાઈ બુહા,સહિતના વિસ્તારના લોકોને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા.