ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર મોડી સાંજે ગાંધનગર કમલમ ખાતે બેઠક યોજી હતી, જેમાં ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. લગભગ 2 કલાક સુધી ચાલેલી બેઠકમાં અનેક મુદ્દાઓને લઇને ચર્ચા કરાઈ હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા ભાજના હોદ્દેદારો અને બાદમાં કાર્યકર્તાઓ સાથે બેઠક જરૂરી સૂચનો કર્યા હતા.
વડાપ્રધાનની કમલમમાં 2 કલાક લાંબી બેઠક ચાલી હતી. ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાને આ બેઠકમાં ભાજપની સરકારે 20 વર્ષમાં અત્યાર સુધી શું કર્યું, રાજ્યમાં કેવો વિકાસ કર્યો તે લોકો સુધી પહોંચાડવા માટે સૂચન કર્યું હતું. સૂત્રો મુજબ, તેમણે હોદ્દેદારોને બેસી રહેવા નહીં પણ પ્રજા વચ્ચે જઈને કામ કરવા કહ્યું. સાથે જ તેમણે રાજ્યમાં અન્ય પાર્ટીઓ જેવી રીતે એક્ટિવ થઈ રહી છે એવી રીતે હોદ્દેદારો અને કાર્યકર્તાઓને ગ્રાઉન્ડ પર ઉતરવા માટે કહ્યું હતું.