જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની હડતાલ યથાવત પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી હડતાલ પર રહેવાની ચીમકી
સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે કોરોના કાળ દરમિયાન સહિદ થયેલ આરોગ્ય કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપી
સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગના હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓ એકઠા થયા હતા.સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે ૪૦૦ થી પણ વઘુ આરોગ્ય કર્મચારીઓએ હાજર રહ્યા હતા. પડતર પ્રશ્નોની માંગણીઓને લઈને વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા કોઈ નિરાકરણ ન કરવામાં આવતું હોવાને લઈને આજે જિલ્લા પંચાયત ખાતે ભેગા થઈને રજૂઆતો કરી હતી અને કોરોનામાં શહીદ થયેલા ૬૧ આરોગ્ય કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. અને આ સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.આ ઉપરાંત પોતાની પડતર માંગણીઓને કારણે તેઓ હડતાલ ઉપર છે તે માગણીઓ પણ જલ્દીમાં જલ્દી પૂરી કરવા માટે તેમણે રજૂઆત કરી હતી