કોરોના મહામારી પછી હર્ષોલ્લાસ સાથે ગણેશ મહોત્સવની શરૂઆત અરવલ્લી જિલ્લામાં કરાવામાં આવી છે. જિલ્લાના અલગ અલગ જગ્યાએ ગણેશ પંડાલોમાં ગણપતિ બાપ્પા બિરાજમાન થયેલા છે ત્યારે મોડાસાના સિદ્ધિ વિનાયક મંદિરે આ વર્ષે સોનાના સિંહાસન પર ગણપતિ બાપ્પાને બિરાજમાન કરવામાં આવ્યા છે, જેને લઇને ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ગણેશ મહોત્સવના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
ગણેશ ચતુર્થીના પ્રથમ દિવસે આરતીમાં એક હજાર લાડૂનો પ્રસાદ બાપ્પાને ચઢાવવામાં આવ્યા હતા, આગામી ચાર સપ્ટેમ્બરના રોજ રવિવારના દિવસે એક હજાર આઠ લાડૂનો યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.. મોડાસાના સિદ્ધિ વિનાયક મંદિરમાં બિરાજમાન ગણપતિ બાપ્પા પર શ્રદ્ધાળુઓનો અતૂટ વિશ્વાસ છે, માટે જ દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે.