ગણેશ મહોત્સવને લઇને સમગ્ર રાજ્યમાં બાપ્પાના પંડાલ અદભૂત રીતે શણગાર કરવામાં આવ્યા છે. કોરોના પછી આ વર્ષે હર્ષોલ્લાસ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બાપ્પાના દર્શન કરવા માટે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં પહોંચ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં પોતાના વિધાનસભા મત ક્ષેત્ર ઘાટલોડિયામાં વિવિધ સ્થળોએ સાર્વજનિક ગણેશઉત્સવના જન ઉમંગમાં ભક્તિ ભાવપૂર્વક સહભાગી થયા હતા. ભૂપેન્દ્ર પટેલે પાટીદાર ચોક,મધુવૃંદ સોસાયટી ગુલાબ ટાવર થલતેજ,સરદાર પટેલ ચાર રસ્તા વસ્ત્રાપુર ખાતેના ગણેશ સ્થાપનમાં જઈને શ્રીજી ના દર્શન,અર્ચન કર્યા હતા