કહેવાય છે કે શ્રદ્ધાના ક્યારેય કોઈ પુરાવા નથી હોતા જેનો ઉત્તમ નમૂનો કદાચ એક બકરાએ પૂરો પાડ્યો છે. બકરાની માઁ અંબા પ્રત્યેની શ્રદ્ધાથી સમજવું સરળ રહેશે. માનવ તો અનેક દેવી દેવતાઓની પૂજા કરતો આવ્યો છે. હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં પૂજા અર્ચનાને વિશેષ મહત્વ પણ આપવામાં આવ્યું છે, ત્યારે એક બકરાની વાત કરવામાં આવે તો તે જાણીને આપને કદાચ આશ્ચર્ય પણ થશે.
દાહોદથી અંબાજી પગપાળા ચાલતા આવતા પદયાત્રીઓ સાથે એક બકરો ચાલતો જોડાયો છે આ અંગેના વિડીયો પણ સોશ્યલ મીડીયમાં વાયરલ થઈ રહ્યા છે પદયાત્રીઓ સાથે નીકળેલ બકરો લોકોમા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે માઁ અંબા પ્રત્યે મુંગા પશુમાં પણ અનેરી શ્રદ્ધા જોવા મળતાં લોકોએ બકરાની શ્રદ્ધાને હ્રદયથી સલામ કરી રહ્યા છે
કહેવાય છે કે, ભગવાન દેરકમાં સમાયેલો છે અને દરેક જીવ ભગવાનમાં શ્રદ્ધા રાખે છે જે આ દ્રશ્યો તેનો પુરાવો બન્યા હતાં.