ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે દેશના ચૂંટણી પંચે રાજ્યમાં એક જ સ્થળે 3 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરવાનો આદેશ કર્યો છે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ત્રણ વર્ષ કરતા વધુ સમય એક જ સ્થળે ચીપકી રહેલા અધિકારીઓની બદલીનો ગંજીપો છીપવાનો ચાલુ કર્યો છે રાજ્ય વાહનવ્યવહાર વિભાગે રાજ્યની આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા 199 અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરી છે
અરવલ્લી એઆરટીઓ જે.કે.મોઢની મહેસાણા આરટીઓ કચેરીમાં અને એસ.આર.ગામીતની બદલી સુરેન્દ્રનગર એઆરટીઓ કચેરીમાં કરવામાં આવી છે અરવલ્લી જીલ્લા એઆરટીઓ તરીકે મહીસાગર જીલ્લા એચ.કે.કનોજીયા અને ગોધરા એઆરટીઓ એ.એલ.ચૌધરીની નિમણુંક કરવામાં આવી છે