37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines Gujarat Election 2022: પોરબંદરમાં ચૂંટણી ફરજ પર તૈનાત IRB જવાન વચ્ચે ઘર્ષણ,...

Gujarat Election 2022: પોરબંદરમાં ચૂંટણી ફરજ પર તૈનાત IRB જવાન વચ્ચે ઘર્ષણ, 2 ના મોત

0
186

પોરબંદરમાં ઈન્ડિયન રિઝર્વ બટાલિયન (IRB)ના એક સૈનિકે અચાનક ગોળીબાર કર્યો, જેમાં તેના બે સાથી સૈનિકોના મોત થયા. કહેવામાં આવી રહ્યું છે કે અર્ધલશ્કરી દળના જવાનોની અહીં ચૂંટણી ડ્યુટી હતી. આરોપીની ઓળખ એસ ઈનોચા સિંઘ તરીકે થઈ છે અને ગુજરાત પોલીસના નિવેદન મુજબ તે આઈઆરબીમાં કોન્સ્ટેબલ છે. આરોપી અને મૃતક મણિપુરના CRPF બટાલિયનના જવાન છે.

ગુજરાત પોલીસે જણાવ્યું કે આરોપીએ પોતાની રાઈફલ AK-47 વડે અન્ય પોલીસ કર્મચારીઓ પર ગોળીબાર કર્યો. પોરબંદરના નવી બંદર ખાતે આઈઆરબીના જવાનો વચ્ચે ઝપાઝપી બાદ ફાયરિંગમાં ઘવાયેલા બંને જવાનોને તાત્કાલિક સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત નીપજ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટનાની જાણકારી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલમાં જવાનો વચ્ચેના ઝઘડાના કારણો વિશે કોઈ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઈ નથી. જિલ્લા ચૂંટણી અધિકારીએ આ માહિતી આપી હતી

પોરબંદરના કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી એ.એમ. શર્માએ જણાવ્યું હતું કે તેઓને અર્ધલશ્કરી દળના જવાનો સાથે આવતા મહિને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચ દ્વારા અહીં મોકલવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લામાં પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

એએમ શર્માએ જણાવ્યું હતું કે શનિવારે સાંજે કોઈ અજાણ્યા મુદ્દાને લઈને એક જવાને રાઈફલ વડે તેના સાથીદારો પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં બે જવાન શહીદ થયા હતા જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને જામનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!