32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines સુરત : H3N2 વાયરસનું સંક્રમણ વધતા તંત્ર એક્શનમાં, ઈમરજન્સી કંટ્રોલ રુમ શરુ...

સુરત : H3N2 વાયરસનું સંક્રમણ વધતા તંત્ર એક્શનમાં, ઈમરજન્સી કંટ્રોલ રુમ શરુ થશે

0
218

ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ રુમમાં ઈમરન્સી સારવાર જરુર પડે આપવામાં આવશે. જ્યાં વિવિધ ઈમક્વિપમેન્ટથી લઈને હેલ્થને લગતી સુવિધા તત્કાલ મળી રહેશે.

સુરતમાં એચથ્રીએનટુ વાયરસનું સંક્રમણ વધતા તંત્ર એક્શનમાં આવ્યું છે. દર્દીઓને ઝડપી સારવાર મળી રહે તે માટે ઈમરજન્સી કંટ્રોલ રુમ શરુ  કરવામાં આવશે. આ મામલે કમિશનરની અધ્યક્ષતામાં રીવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઈમરજન્સી કંટ્રોલ શરુ થતા દર્દીઓને સારવાર મળી રહ્યો છે.  રીવ્યુ બેઠક મનપા કમિશનર દ્વારા કેટલાક સૂચનો પણ કરાયા છે. શરદી, ઉધરસ, તાવના કેસો વધતા  ઈમરજન્સી કંટ્રોલ રુમ શરુ કરવામાં આવશે. ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ રુમમાં ઈમરન્સી સારવાર જરુર પડે આપવામાં આવશે. જ્યાં વિવિધ ઈમક્વિપમેન્ટથી લઈને હેલ્થને લગતી સુવિધા તત્કાલ મળી રહેશે.

20 ડૉક્ટર અને 650 પેરામેડિકલ સ્ટાફને કામગિરી સોંપવામાં આવશે
ખાનગી પ્રેક્ટિસનર તબીબોને પણ આ માટે તાકીદ કરવામાં આવી છે. કેસોની અગાઉની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 20 ડૉક્ટર અને 650 પેરામેડિકલ સ્ટાફને કામગિરી સોંપવામાં આવશે. H3N2 વાયરસના કિસ્સામાં, ઉધરસ અને કફ લાંબા સમય સુધી ચાલુ રહે છે અને તાવ અને ન્યુમોનિયાની પણ સંભાવના છે. ત્યારે દર્દીઓ શિકાર બનતા લક્ષણને જોતા ટેસ્ટ થયા બાદ પોઝિટીવ આવતા સારવાર આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!