બાંગ્લાદેશમાં, ઢાકા જતી બસ ખાડીમાં પડી અને પલટી જવાથી ઓછામાં ઓછા 16 લોકોનાં મોત થયાં અને 30 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસ મદારીપુરના શિબચર ઉપજિલ્લાના કુતુબપુર વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અકસ્માતનો ભોગ બન્યો હતો. આ દરમિયાન રવિવારે સવારે પદ્મ બ્રિજના એપ્રોચ રોડ પરથી જઈ રહેલી બસ ખાઈમાં પડી ગઈ હતી.
મળતી માહિતી મુજબ મૃતકોની ઓળખ તાત્કાલિક થઈ શકી નથી. શિબચર હાઈવે પોલીસ સ્ટેશનના ઓસી અબુ નઈમ એમડી મોફઝેલ હકે જણાવ્યું હતું કે ફાયર સર્વિસ અને પોલીસ સ્થાનિક લોકોની સાથે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. ઈજાગ્રસ્તોને તેમની ઈજાની ગંભીરતાના આધારે હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે.
બસ ચાલકે કાબૂ ગુમાવ્યો હતો
કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇમાદ પરિભાન બસના ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે તે ખીણમાં પડી હતી. મદારીપુરના પોલીસ અધિક્ષક મોહમ્મદ મસૂદ આલમે જણાવ્યું કે ઘાયલ મુસાફરોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.