31 C
Ahmedabad
Tuesday, May 7, 2024

અરવલ્લી : દેવકીનંદન મહેશ્વરી એક દિવસના રિમાન્ડ પુરા થતા LCBએ કોર્ટમાં રજુ કરતા જેલના સળિયા પાછળ ધકેલાયો


દેવકીનંદન કોર્ટમાં બે સ્ટેન્ટ મુકાવી હાજર થયો, કોર્ટે ગુન્હાની ગંભીરતાને પગલે જામીન ના મંજુર કરી રિમાન્ડ પુરા થતા જેલના હવાલે કર્યો
કોર્ટની શખ્ત કાર્યવાહીના પગલે ભૂગર્ભ ઉતરેલા મહાદેવ મહેશ્વરી ક્યારે હાજર થાય છે તે જોવું રહ્યું

Advertisement

મોડાસાના લાલપુર કંપા નજીક આવેલી મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉનમાં વિસ્ફોટ પછી ભીષણ આગ લાગતા અગ્નિકાંડ સર્જાયો હતો જેમાં ગોડાઉનમાં સેન્ટીંગનું કામકાજ કરતા પર પ્રાંતીય ચાર શ્રમિકો ભડથું થઇ ગયા હતા જેમાં મહેશ્વરી બંધુ સામે મનુષ્યવધનો ગુન્હો નોંધાતા બંને આરોપી નાસતા ફરતા હતા દેવકીનંદન મહેશ્વરીને એલસીબી પોલીસે ઘર નજીકથી દબોચી લઇ આરોપીને કોર્ટમાં રજુ કરી સાત દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવતા એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા એલસીબી પોલીસે રિમાન્ડ પુરા થતા કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટ આરોપીને જેલના હવાલે ધકેલી દેવાનો આદેશ કર્યો હતો

Advertisement

અરવલ્લી એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલના જણાવ્યા અનુસાર આરોપી દેવકીનંદન મહેશ્વરીની પૂછપરછ કરી હતી જો કે ગોડાઉનમાં બિલ માલ અને સીસીટીવી કેમેરા સહીત દસ્તાવેજ આગમાં ખાખ થતા હાલ તપાસનો ધમધમાટ શરૂ હોવાનું જણાવ્યું હતું

Advertisement

દેવકીનંદન મહેશ્વરીના એક દિવસના રિમાન્ડ પુરા થતા કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો કોર્ટે તેના મુકેલા જામીન ફગાવી દીધા હતા અને મોડાસા સબજેલ ખાતે મોકલી આપવાનો આદેશ કરતા માનવવધના આરોપીને જેલના હવાલે ધકેલી દીધો છે અરવલ્લી એલસીબી પોલીસે મહાદેવ મહેશ્વરીને ઝડપી પાડવા અલગ અલગ ટિમો બનાવી વિવિધ સંભવિત સ્થળો પર તપાસનો દોર લંબાવ્યો છે ત્યારે જોવું રહ્યું કે છેલ્લા 17 દિવસથી પોલીસને હાથતાળી આપનાર મહાદેવ મહેશ્વરી કેટલા દિવસ પોલીસ પકડથી દૂર રહે છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!