28 C
Gujarat
Friday, August 21, 2026
Home પીપલ અરવલ્લી : તત્ત્વ ઈજનેરી કોલેજ દ્વારા વિશ્વકર્મા યોજના 2020-21 ફેઝ 9 અંતર્ગત...

અરવલ્લી : તત્ત્વ ઈજનેરી કોલેજ દ્વારા વિશ્વકર્મા યોજના 2020-21 ફેઝ 9 અંતર્ગત સરડોઈમાં વિલેજ સર્વે કરાયો

0
580

તત્વ ઈજનેરી કોલેજ, મોડાસાના સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા “વિશ્વકર્મા યોજના: 2020-21” (ફેઝ-૯) અંતર્ગત “સરડોઈ” ગામમા પાણીના સપ્લાય,પાણીના સંગ્રહ , રસ્તાઓ નો સર્વે , વીજળી તેમજ Wi-Fi સુવિધા સર્વે,ગ્રામ સચિવાલય, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ફિઝિકલ હેલ્થ સેન્ટર, પોસ્ટ ઓફિસ, બેંક, દુકાનદારો અને ગ્રામ્યજનો ને મળી મારુ ગામ રળિયામણું ગામ -સ્માર્ટ વિલેજ બનાવવા અંગે સર્વે કર્યો.

સરડોઇ ગામે યોજાયેલા સર્વે કામગીરીમાં પૂર્વ સરપંચ અને તત્વ કોલેજ ના કેમ્પસ ડાયરેકટર પ્રો. જયદત્તસિંહ પુવાર તથા પ્રિન્સિપાલ ડો. કિરણ દરજી ના માર્ગદર્શન હેઠળ તત્વ કોલેજના સિવિલ ડિપાર્ટમેન્ટ ના વડા પ્રો. રાકેશ શાહ,સ્ટાફ અને તેમના વિદ્યાર્થીઓ તથા ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ ના વડા પ્રો.હરેન્દ્રસિંહ ચૌહાણ , તેમનો સ્ટાફ અને વિદ્યાર્થીઓએ સર્વેની કમાન સંભાળી હતી. આઈટી ડિપાર્ટમેન્ટ ના વડાપ્રો.અમિત પટેલ,ઈસી ડિપાર્ટમેન્ટ અને જનરલ ડિપાર્ટમેન્ટ ના વડા, સ્ટાફ અનેવિદ્યાર્થીઓએ સર્વેના કામમા સહકાર આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!