42 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લી : શામળાજી નજીક લકઝરી બસ પલ્ટી, અમદાવાદ-કાનપુર સ્લીપર કોચ ગોથું ખાઈ ગઈ,મુસાફરોની ચિચિયારીઓથી હાઇવે ગુંજ્યો


ગુજરાતના માર્ગો પર લકઝરી બસ પલટી જવાની ઘટનાઓ સતત બની રહી છે અંબાજી-હિંમતનગર હાઈ-વે પર હડાદ પાસે લકઝરી બસ પલટી જતા 20 લોકોને ગંભીર ઈજા પહોંચી હોવાની ઘટનાના ગણતરીના કલાકોમાં અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર શામળાજી નજીક વધુ એક લકઝરી બસ પલ્ટી ખાતા 17 મુસાફરો ઈજાગ્રસ્ત થતા પોલીસ તાબડતોડ સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે શામળાજી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડતા 5 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડાયા હતા શામળાજી પોલીસે ક્રેનની મદદથી લકઝરી બસ હટાવી ટ્રાફિકજામ પુર્વરત કરાયો હતો

Advertisement

શામળાજીના અણસોલ નજીક અમદાવાદ થી કાનપુર જતી ખાનગી લકઝરી બસના ચાલકે અગમ્ય કારણોસર સ્ટિયરિંગ પરથી કાબુ ઘુમાવતા લકઝરી બસ ધડાકાભેર પલ્ટી જતા બસમાં બેઠેલાં મુસાફરોએ
ચિચિયારીઓ પાડી મૂકી હતી અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા શામળાજી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી લકઝરી બસમાં ફસાયેલ મુસાફરોને બહાર કાઢ્યા હતા અને સારવાર અર્થે શામળાજી રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા જેમાં 5 જેટલા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા સદ્નસીબે જાનહાની ટળતા અકસ્માતના સ્થળે દોડી આવેલા લોકોએ અને શામળાજી પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો રતનપુર ચેકપોસ્ટ નજીક બપોરે લકઝરી પલ્ટી જતા ને.હા.નં-8 એમ્બ્યુલન્સના સાયરનના અવાજથી ગુંજી ઉઠ્યો હતો અકસ્માતના પગલે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર ટ્રાફીકજામ સર્જાતા શામળાજી પોલીસે રોડ પરથી લકઝરી બસ દૂર કરી ટ્રાફિક પૂર્વરત કર્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!