31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

Israel-Hamas War Zone માંથી ભારતીયોને બહાર કાઢવા ઓપરેશન અજય શરૂ, જાણો જયશંકરે શું કહ્યું?


ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં ફસાયેલા ભારતીયો માટે રાહતના સમાચાર છે. ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકારે ‘ઓપરેશન અજય’ શરૂ કર્યું છે. અહેવાલો અનુસાર લગભગ 18 હજાર ભારતીયો ઈઝરાયેલમાં ફસાયેલા છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે જો જરૂર પડશે તો ભારતીય નેવીને પણ આ ઓપરેશનમાં સામેલ કરવામાં આવશે.

માહિતી અનુસાર, ભારત સરકાર વિશેષ ચાર્ટર્ડ ફ્લાઇટ્સ દ્વારા ભારતીય નાગરિકોની તેમના દેશમાં પરત ફરવાની ખાતરી કરશે. વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે મોડી સાંજે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષિત વાપસી માટે #ઓપરેશન અજય શરૂ કરી રહ્યા છે. વિશેષ ચાર્ટર ફ્લાઈટ્સ અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મોદી સરકાર વિદેશમાં આપણા નાગરિકોની સુરક્ષા અને સુખાકારી માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

બીજી તરફ, ઇઝરાયેલની રાજધાની તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે તેણે ગુરુવારે ભારત સરકારને વિશેષ ફ્લાઇટ માટે નોંધાયેલા ભારતીય નાગરિકોની પ્રથમ બેચને ઇમેલ કરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!