30 C
Ahmedabad
Monday, April 29, 2024

અરવલ્લીઃ રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે માલપુર નગરમાં યોજાઈ શોભાયાત્રાઃનગરનું વાતાવરણ રામમય બની ગયું


આવતીકાલે અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ભગવાનના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આખો ભારત દેશ રામમય ભક્તિના વાતાવરણથી રંગાઈ ગયો છે
અરવલ્લી જિલ્લો પણ રામમય ભક્તિથી રંગાઈ ગયો છે
અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે પણ રામભક્તો દ્વારા માલપુર નગરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આખાયે માલપુર તાલુકામાંથી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામભક્તો ઉમટી પડ્યા હતા ડીજેના તાલે અને નાશિક ઢોલ નગારા સાથે શ્રી રાક્ષેશ્વર મહાદેવથી નીકળેલી શોભાયાત્રા માલપુર નગરમાં રામધૂન ગાતાં ગાતાં માલપુર નગરના વિસ્તારોમાં ફેરવવામાં આવી હતી.
આ શોભાયાત્રામાં બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, માલપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભાગ્યશ્રીબેન પંડ્યા, ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનો માલપુર નગરના રામભક્તો, ધર્મ પ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાયા હતા.
માલપુર નગર જય શ્રી રામના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!