30 C
Ahmedabad
Monday, April 29, 2024

વડોદરા : છુટાછેડા‎ અટકાવવા વણકર‎ સમાજસેવીઓની નવતર પહેલ


ડૉ.‎ બાબાસાહેબ‎ આંબેડકરના‎ 133મી જન્મજયંતિ નિમિત્તે જાણિતા સમાજસેવી મિતેષભાઇ‎ ચાવડા અને ભરતભાઇ ડાભી‎ દ્વારા વડોદરા‎ ખાતે‎ VANKAR.IN વેબસાઇટના‎ માધ્યમથી છુટાછેડા રોકો કેંદ્રની‎ શરુઆત‎ કરવામાં‎ આવી છે કોમ્પ્યુટર મેનેજર તરીકે‎ મુંબઈ નોકરી‎ કરતા અને‎ શનિ-રવિની‎ રજાઓમાં વડોદરા‎ આવી‎ સામાજિક સેવાકાર્યમાં સતત કાર્યશીલ‎ ભરત‎ ડાભી તેમના મિત્ર મિતેષ ચાવડા અને માર્ગદર્શક‎ વડિલો‎ મણિભાઇ પરમાર (ચેરમેન‎ – ડૉ. આંબેડકર ભવન, વડોદરા), મુળચંદ રાણા (પુર્વ‎ સદસ્ય અને‎ એક્ટીંગ ચેરમેન‎ – ગુજરાત‎ પબ્લિક‎ સર્વિસ કમીશન) તેમજ‎ ડૉ.‎ મનુભાઇ મકવાણા‎ (પુર્વ ડિન,‎ ગુજરાત યુનિવર્સીટી,  અમદાવાદ)ના સહયોગથી સમાજમાં‎ થતા છુટાછેડા‎ અટકાવવા ગહન અભ્યાસ કરી.‎ આ મુદ્દે‎ તેઓએ‎ બેથી‎ ત્રણ‎ સેમીનાર‎ થકી વિવિધ‎ સર્વે‎ કાર્યક્ર્મ‎ કરવાની સાથે છુટક છુટક સમજાવટથી ૪-૫‎ જેટલા છુટાછેડા‎ થતા અટકાવવામાં સફળતા મળી છે ‎અને આ સમસ્યાની‎ ગંભીરતાને ધ્યાનમાં‎ લેતા‎ હવે આ‎ છુટાછેડા અટકાવવા‎ હેતુ ખાસ‎ એક‎ કેંદ્રની‎ તેઓએ આજે શરુઆત કરવામાં આવી છે

Advertisement

આ‎ કેંદ્રની‎ શરુઆત‎ કરતા ઉપસ્થિત‎ સમાજ હિતેચ્છુઓએ‎ આ‎ પહેલને‎ વધાવતા વિવિધ‎ અનુભવો, આજની સામજીક પરીસ્થિત,‎ જુરરી‎ ઉપાયો‎ જણાવતા વિવિધ સુચનો‎ કરેલ હતા અને VANKAR.IN‎ વેબસાઇટના‎ માધ્યમથી શરુ થયેલ‎ આ‎ છુટાછેડા‎ કેંદ્રનો‎ લાભ લઈ ઘર‎ તુટતા‎ બચે તે અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!