મેરા ગુજરાત, ભિલોડા
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના વાંકાનેર ગામ અને રીંટોડા ગામના મુખ્ય ધોરીમાર્ગ પર અકસ્માતોનું પ્રમાણ ધટાડવા માટે બમ્પ બનાવવાની તાતી જરૂરિયાત ઉદ્ધવી છે.વાંકાનેર ગ્રામ પંચાયત સરપંચ વિનોદભાઈ બરંડા અને રીંટોડા ગ્રામ પંચાયત સરપંચ ગોવિંદભાઈ પાંડોર સહિત જાગૃત ગ્રામજનોએ જણાવ્યું હતું કે,ભિલોડા થી સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ને જોડતા મુખ્ય ધોરીમાર્ગ પર આવેલ રીંટોડા ગામના ત્રણ રસ્તા પાસે સત્વરે
બમ્પ બનાવવા આવશ્યક છે.
ભિલોડા થી ગાંભોઈ – હિંમતનગર ને જોડતા મુખ્ય ધોરીમાર્ગ પર વાંકાનેર હાઈસ્કુલ પાસે અને એસ.ટી. પીક અપ બસ સ્ટેશન પાસે બમ્પ બનાવવાની તાતી જરૂરિયાત ઉદ્ધવી છે.વાહનોની સંખ્યા દિન પ્રતિ દિન વધતા નાના – મોટા અકસ્માતોનું પ્રમાણ વધતા સલામતીના ભાગરૂપે જરૂરિયાત પ્રમાણે સત્વરે બમ્પ બનાવવાની માંગ પ્રવર્તતી છે.