મેરા ગુજરાત, ખેડબ્રહ્મા
કોરોનાની મહામારી ને લઈને છેલ્લા બે વર્ષથી શક્તિધામ અંબિકા માતાજી મંદિર રાજ્ય સરકાર ની ગાઇડલાઇન મુજબ દર્શનાર્થીઓ માટે બંધ રખાયું હતું જેને લઇને દર્શનાર્થીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી હતી જોકે અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા લાઈવ ટેલીકાસ્ટ સુવિધાને લઈને માઈ ભક્તો દર્શનનો લાભ લઈ શકતા હતા અને મનમાં સંતોષ કરી શકતા હતા હવે કોરોના મહામારી નાબૂદ થતાં આ વર્ષે ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર મા અંબાના આંગણે યાત્રિકો દ્વારા દર્શને આવતા ધસારો જોવા મળી રહ્યો છે આજરોજ થી શરુ થતી ચૈત્રી નવરાત્રી નો સવારે 08:20 કલાકે ઘટ સ્થાપન કરાયું હતું જ્યારે દુધનો અભિષેક પણ 9:00 કલાકે કરાયો હતો.મંદિર ને ફૂલોથી શણગાર આવ્યું