38 C
Ahmedabad
Monday, May 20, 2024

પેપર લીક મામલે ‘માન’ થી વ્યંગ કર્યો, “પેપર લીક પેપરમાં નથી પણ બીજે ક્યાંક છે”, સાંભળો શું કહ્યું..


આમ આદમી પાર્ટીની અમદાવાદના નિકોલ વિસ્તારમાં ત્રિરંગા યાત્રા યોજવામાં આવી હતી, જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ખાસ જોડાયા હતા. માનવામાં આવે છે કે, ચૂંટણી પહેલા યોજવામાં આવેલી આપ પાર્ટીનું આ શક્તિ પ્રદર્શન હતું, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. આ રેલી દરમિયાન અનોખા અંદાજમાં પંજાબના મુખ્યમંત્રી એ પેપર લીકની ઘટનાઓ પર કટાક્ષ કર્યો હતો.

Advertisement

ભગવંત માને કહ્યું કે, દર ત્રણ મહિને પેપર લીક થાય છે, આ લીકેઝ બંધ કરવું પડશે, આ લીકેઝ પેપરમાંથી નથી પણ બીજે ક્યાંક છે. આ સાથે જ તેમણે કહ્યું કે, ખાનગી શાળાઓ હવે ફી નહીં વધારી શકે. આ માટે તેમને એક આદેશ બહાર પાડ્યો છે. આ સાથે જ ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને પુસ્તકો લેવા માટે નિયત કરેલ દુકાનો પરથી લેવા દબાણ નહીં કરી શકે.

Advertisement

હાલમાં જ ગુજરાતમાં સરકારી પરીક્ષાઓના પેપર લીકની ઘટનાઓ ઘટી હતી, ત્યારે અમદાવાદ ખાતે યોજાયેલી રેલીમાં આપ પાર્ટીના આગેવાનો જોડાયા હતા.

Advertisement

ભગવંત માને પેપર લીકની ઘટનાને લઇને કટાક્ષ કર્યો, સાંભળો શું કહ્યું

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!