મેઘરજના સ્મશાનમાં સ્થાનિક તંત્રએ અંધારાપટ્ટ દૂર કરી લાઈટ્સ લગાવી દીધી છે. લાઈટ્સ ન હોવાથી સ્થાનિક લોકોએ અહીં કેવી રીતે આવે તે સવાલ હતો કારણ કે, 3 એપ્રિલના રોજ બ્રહ્મણ સમાજના લોકો અંતિમક્રિયા માટે આવ્યા હતા, ત્યારે લાઈટ્સ ન હોવાને કારણે ગાડીની લાઇટ્સ ચાલુ કરીને અંતિમક્રિયા કરવાની ફરજ પડી હતી, જેને લઇને સ્થાનિક લોકોમાં એક રોષની લાગણી વ્યાપી ગઇ હતી.
સ્મશાનગૃહમાં લાઈટ્સ ન હોવાની જાણ પંચાયતને થઇ હતી, જેને લઇને તાત્કાલિક પંચાયતની ટીમ દ્વારા ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને બંધ લાઈટ્સ ચાલુ કરવા તેમજ જ્યાં લાઈટ્સ ની જરૂર હતી, ત્યાં લાઈટ્સ લગાવવાની કામગીરી હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાને લઇને મેરા ગુજરાતે એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો, જેને લઇને તંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરી લોકોની આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ કર્યો હતો, પણ બીજીવાર આ પ્રકારની સમસ્યા ન થઇ જોઇએ તેનું પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.