યુવા નેતા યુવરાજસિંહના ધરપકડ થતાં કરણી સેના સમર્થનમાં આવી છે. કરણી સેનાના પ્રમુખ જે.પી.જાડેજાએ યુવરાજસિંહની ધરપકડનો વિરોધ કર્યો છે, તેમણે કહ્યું કે, સરકારને ઉપયોગી થનાર અને ભ્રષ્ટાચાર સામે લડનાર લડતા હોય તેવા લોકોની ધરપકડ કરી ગંભીર કલમો લગાવી તેનો સમગ્ર ક્ષત્રિય સમાજ અને રાજપૂત કરણી સેના વિરોધ કરે છે. તેમણે એમ પણ ઉમેર્યું કે, યુવરાજસિંહ શિક્ષિત યુવક છે અને કોઇ ગુનાહિત ઇતિહાસ નથી, આ બાબતે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, જો આમ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં રાજપૂત સમાજના રોષનો સામનો કરવો પડી શકે છે..
સાંભળો રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ જે.પી. જાડેજાએ શું કહ્યું.
શું હતો સમગ્ર મામલો
વિદ્યાસહાયકના આંદોલન દરમિયાન યુવરાજસિંહે પોલીસ ગાંધીનગર એસ.પી. ઓફિસમાં ઘૂસીને પોલિસ કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હોવાનું પોલિસે જણાવ્યું હતું. આ સાથે જ પોલોસ કોન્સ્ટેબલ પર પોતાની ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, પોલિસ કર્મચારી પર ગાડી ચઢાવી દેવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેનો વીડિયો પોલિસે જાહેર કર્યો હતો. સમગ્ર ઘટનાને લઇને પોલિસે યુવા નેતા યુવરાજસિંહની ધરપકડ કરી હતી.