આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ ડો.પ્રશાંત કોરાટે આપ પાર્ટીના દાવાઓ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, લોકો બંધ આંખે સપના જુએ છે, પણ આપ પાર્ટી ખુલી આંખે સપના જોઇને શેખચલ્લીની વાતો કરે છે. 182 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને આપ પાર્ટીની ડિપોઝિટ પણ જપ્ત જશે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કર્ણાવતીથી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ભવ્ય બાઈક રેલીની શરૂઆત કરવામાં આવી હતી, જે સૌપ્રથમ અરવલ્લી જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. બાયડના તેનપુરથી પ્રવેશ કરતા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધનસુરા અને મોડાસા ખાતે પહોંચી હતી. મીડિયા સાથેની વાતચીતમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ ડો.પ્રશાંત કોરાટે જણાવ્યું કે, આપ પાર્ટી શેખચલ્લીની વાતો કરે છે, જે લોકો મહાત્મા ગાંધી જેવા મહાનુભાવોનું અપમાન કરતા હોય તેવા લોકોને ગુજરાતની જનતા જડબાતોડ જવાબ આપશે.. સાંભળો શું કહ્યું.. પ્રશાંત કોરાટે
બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ મોટો દાવો કર્યો હતો કે,અત્યારે ચૂંટણી યોજાય તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં 50થી વધારે બેઠક જીતી શકે છે. ગોપાલ ઇટાલિયાના આ દાવા પર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ યુવા મોરચાના નેતાએ જવાબ આપ્યો..
પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું હતું, સાંભળો