અરવલ્લી જિલ્લામાં ઉનાળાની શરૂઆત થઇ ત્યારથી આગ લાગવાની ઘટનાઓ ઘટી રહી છે, આ વચ્ચે ખેડૂતોના ખેતરમાં ઘઉંને પણ આગ લાગવાની ઘટાઓ ઘટી રહી છે, તેમાંય શોર્ટ સર્કિટને કારણે ખેતરમાં રહેલા ઊભા પાકને નુકસાન પહોંચી રહ્યું છે. બાયડ પંથકમાં ખેડૂતના ઊભો પાક બળીને ખાક થઇ જતાં ખેડૂતના માથે આભ તૂટી પડવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
બાયડ તાલુકાના ડાભા ગામ ખેડૂતના ઘઉં બળી જવાની ઘટના ઘટી છે. ફતેપુરા ગામના વતની પરમાર રાણસિંહ પ્રતાપ સિંહના ખેતરમાં પાકી ગયેલો મકાઈનો પાક વીજ તંત્રની બેદરકારીના કારણે બળી ગયો. ભીષણ આગ લાગતાં ફતેપુરા ગામમાંથી ટોળે-ટોળા ઉમટ્યા હતા અને આગને કાબૂમાં લાવવા માટેના અથાગ પ્રયત્નો થકી આગ કાબૂમાં આવી હતી, જોકે આગ પર કાબૂ તો મેળવાયો પણ મકાઇનો પાક બળીકને ખાક થઇ ગયો. ખેડૂતોની માંગ છે કે, નુકસાની સામે વળતર આપવામાં આવે.