34 C
Ahmedabad
Tuesday, May 21, 2024

અરવલ્લી : યુવરાજસિંહની ધરપકડના વિરોધમાં બાયડમાં યુવાનોએ “કિતને યુવરાજ પકડોંગે હર ઘરસે યુવરાજ નીકલેંગે” ના નારા લગાવ્યા


વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ ધરપકડ થતા સમગ્ર રાજ્યમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. યુવરાજ સિંહના સમર્થનમાં અનેક જગ્યાએ યુવા વર્ગ અને અન્ય લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. અરવલ્લીમાં આમ આદમી પાર્ટી અને યુવા વિંગે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું તેમજ બાયડમાં મોટી સંખ્યામાં યુવાનોએ બાયડ પ્રાંતને આવેદનપત્ર આપી વિદ્યાર્થી નેતા તેમના સામે કરેલ ખોટા કેસ પરત લેવામાં આવેની માંગ કરી હતી

Advertisement

અરવલ્લી જીલ્લામાં યુવાનેતા યુવરાજસિંહની ધરપકડ સામે યુવા વર્ગમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે આમ આદમી પાર્ટી અને તેમની યુવા વિંગે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી યુવરાજસિંહ સામે કરેલ કેસ પરત લેવામાં આવે તેમજ એલઆરડીની પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેની તકેદારી રાખવામાં આવેની માંગ કરી હતી અને સરકાર સામે આક્ષેપ કર્યો હતો કે આગામી એલઆરડીની પરીક્ષામાં ગેરરીતિ બહાર ના આવે તેમાટે યુવરાજસિંહ સામે ખોટા કેસ કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે સરકાર યુવાનોના અવાજને દબાવી દેવાનો પ્રયત્ન કરી રહી છે તે ચલાવી લેવામાં નહીં આવે તેમ આવેદનપત્રમાં જણાવ્યું હતું.

Advertisement

બાયડમાં મોટી સંખ્યામાં યુવાન-યુવતીઓએ યુવરાજસિંહની ધરપકડનો વિરોધ નોંધાવ્યો હતો અને જીલ્લા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ઝડપથી યુવરાજસિંહ ઉપર રહેલા કેશો પાછા ખેંચવામાં આવે અને નિપક્ષ તપાસ કરવામાં આવેની માંગ કરી હતી.

Advertisement

શું નારા લગાવ્યા સાંભળો…

Advertisement

Advertisement

 

Advertisement

સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબૂક પેજ Mera Gujarat ને લાઈક અને શેર કરો, વીડિયો માટે અમારી YouTube ચેનલ Mera Gujarat સબસ્ક્રાઈબ કરો. અમારૂ ટ્વીટર હેન્ડલ છે @MeraGujarat2022

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!