સાબરકાંઠા અને ખંભાતમાં રામનવીના દિવસે થયેલી પથ્થરમારાની ઘટના પછી પરિસ્થિતિ વણસતા આસપાસના જિલ્લાની પોલિસ સતર્ક બની છે. સાબરકાંઠા જિલ્લામાં પોલિસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે, તો અરવલ્લી જિલ્લાની પોલિસ પણ સાબરકાંઠા જિલ્લામાં તૈનાત કરી દેવાઈ છે. આ સાથે જ રેંગ, એસ.આર.પી. તેમજ રેપિડ એક્શન ફોર્સ પણ ડિપ્લોઇડ કરવામાં આવી છે. આ વચ્ચે પરિસ્થિતિ થાડે પાડવા માટે પોલિસ દ્વારા શાંતિની અપીલ કરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા પણ લોકોને શાંતિ જાળવવા માટે લોકોને અપીલ કરાઈ છે. અરવલ્લી જિલ્લા પોલિસ તંત્ર દ્વારા ખોટી અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી રહી છે.
પોલિસની અપીલ પછી પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઉશ્કેરણીજનક પોસ્ટ મુકતા મોડાસા ટાઉન પોલિસ દ્વારા એક વ્યક્તિની અટકાય કરવામાં આવી હોવાનું ટાઉન પી.આઈ. એન.જી.ગોહિલે જણાવ્યું હતું.
પોલિસની અપીલ
- અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા જિલ્લાની જનતાને અપીલ કરાઈ છે કે, કોઇપણ જાતની અફવાથી દૂર રહેવું અને ખોટા સોશિયલ મીડિયા મેસેજ માનવા નહીં કે ફોરવર્ડ કરવા નહીં
- કોઇ વ્યક્તિ આવી ગેરકાયેદસર પ્રવૃત્તિ કરશે અથવા તો કરાવશે તો તેની વિરૂદ્ધ કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે
- સાયબર સેલ દ્વારા વોટ્સ એપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને સ્નેપચેટ જેવા સોશિયલ મીડિયા માધ્યમો પર પોલિસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.
સાંભળો અરવલ્લી જિલ્લા પોલિસ તરફથી Dy.SP. ભસિયાએ શું અપીલ કરી