31 C
Ahmedabad
Sunday, May 19, 2024

અરવલ્લી જીલ્લો ભીમ મય બન્યો : બાબા સાહેબની 131મી જન્મ જ્યંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી, ઠેર ઠેર જય ભીમના નાદ ગૂંજ્યા


મોડાસામાં ર્ડો.બાબા સાહેબ આંબેડકર જ્યંતિની ધામધૂમપૂર્વક ઉજવણી ભવ્ય શોભાયાત્રા નીકળી

Advertisement

ભારતના બંધારણના ઘડવૈયા અને મહામાનવ ડો.બાબા સાહેબ આંબેડકરની 131 મી જન્મ જ્યંતિની ઉજવણી અરવલ્લી જીલ્લાના મોડાસા શહેર સહીત અનેક વિસ્તારોમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી. અનુસૂચિ જાતિ સમાજના અબાલ, વૃદ્ધ, યુવા સૌ ભીમ મય બન્યા હતા. જીલ્લામાં ઠેર ઠેર ડો.બાબા સાહેબ આંબેડકરની રેલીઓ,સભાઓ,ફિલ્મ પ્રદર્શન અને રાત્રી કાર્યક્રમોનું આયોજન વિવિધ સંગઠનો અને સંસ્થાઓ દ્વારા યોજાયા હતા.

Advertisement

Advertisement

જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ડો.આંબેડકર સેના અરવલ્લી અને અનુસૂચિત સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટીસંખ્યામાં જીલ્લાના પ્રજાજનો ઉમટી પડ્યા હતા.
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ભીમ સૈનિકો અને અનુસૂચિત જાતિ સમાજના યુવાનો અને અગ્રણીઓ એ ર્ડો.બાબા સાહેબ આંબેડકરની 131 મી જન્મજ્યંતિ નિમિત્તે ભવ્યરથયાત્રા અને રેલીનું નું આયોજનકરવામાં આવતા રથયાત્રા અને રેલીમાં યુવાનો,મહિલાઓ અને ભૂલકાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. મોડાસા ચાર રસ્તા પર આવેલા બી.આર.સી ભવનના મેદાનમાંથી ડો.બાબાસાહેબ આંબેડકર ની ભીમ રેલી શહેરના મુખ્યમાર્ગો જેવા કે, માલપુર રોડ,ઋષિકેશ સોસાયટી અને પ્રણામીનગર,પારસ થઈ મેઘરજ રોડ થઈ પરત ફરી હતી. રથયાત્રામાં ડી.જે. ના તાલે ડો.બાબા સાહેબ આંબેડકર ન જીવનચરિત્ર પર બનેલા ગીત-સંગીતના તાલે જુમી ઉઠ્યા હતા મોડાસા શહેરના માર્ગો જય ભીમના નાદથી ગુંજી ઉઠ્યા હતા.

Advertisement

અરવલ્લી જીલ્લાના ભિલોડા,મઉ,શામળાજી,ટીંટોઈ,બામણવાડ,કુડોલ દધાલીયા,માલપુર,મેઘરજ, બાયડ, સાઠંબા, ધનસુરા, ઉભારણ, અણીયોર-સાતરડા સહીત તાલુકા મથકોએ અને ગ્રામ્ય વિસ્તારોમાં 131 મી ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજ્યંતિ ઉજવણી નીમીત્તે શોભયાત્રા,સાંસ્કૃતિક કાર્યક્રમો,રેલી સહીત ના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!