સરકારી ઈજનેરી કોલેજ મોડાસા ખાતે કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી. માનવજાતની અબોલ પશુઓ પ્રત્યેની ક્રુરતા રોકવા અને તેમની પ્રત્યે કરૂણતા રાખવાના ઉદેશ્યથી એક એનિમલ વેલફેર પ્રોગ્રામનું આયોજન તા:૦૭ એપ્રિલ,ગુરુવારના રોજ કરવામાં આવ્યું હતું. દર્શના એનીમલ વેલફેર સંસ્થાના સહયોગથી આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં 140 થી વધુ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો જોડાયા હતા.
વિભાગના વડા .પ્રો.એમ.બી.ચૌધરીએ સૌને સંબોધ્યા હતા અને વિદ્યાર્થીઓને અબોલ પશુઓ પ્રત્યે કરુણા રાખવાનું આહવાન આહવાન કર્યું હતું. દર્શના એનીમલ વેલફેર સંસ્થા દ્વારા અબોલ પશુઓ પ્રત્યે થતા અત્યાચાર, અત્યાચારને કેવી રીતે રોકી શકાય અને એના માટે શું કાયદા છે એના વિશે માહિતગાર કર્યા હતા. અબોલ પશુઓ ઉપર થતી ક્રૂરતા રોકવા અને કરુણા રાખવા પ્રેરિત કર્યા હતા.આ પ્રોગ્રામના કોર્ડીનેટર પ્રો.મિનલ ચૌહાણે પણ પ્રોગ્રામમાં આજનું યુવાધન શાકાહારી બને અને એનિમલ વેલફેરમાં સહભાગી થાય તેવું આહવાન કર્યું હતું. આ સમારોહને ખૂબ ઉમદા પ્રતિસાદ મળ્યો હતો.વિદ્યાર્થીઓએ શાકાહારી બનવા અને એનિમલ વેલફેરમાં સહભાગી બનવા ઈચ્છા વ્યક્ત કરી હતી.