હિંદુ સમાજની કરોડરજ્જુ એ પાટીદાર સમાજ છે ઉપરોક્ત વાત કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા એ જણાવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ધરતી વિકાસ મંડળનો અમૃત મહોત્સવ પર્વ યોજાયો હતો.કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં હતી.
અમદાવાદ ખાતે ધરતી વિકાસ મંડળનો અમૃત મહોત્સવ પર્વ યોજાયો હતો. ત્યારે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, ધરતી વિકાસ મંડળ જેવી સંસ્થાઓએ આપણા સમાજની શાખ વધારી છે. જાત ખર્ચીને પણ કામ કરવું એ ઉદાહરણ ધરતી વિકાસ મંડળનું છે જેનું આપણાં માટે ગૌરવની વાત છે.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હિંદુ સમાજની કરોડરજ્જુ એ પાટીદાર સમાજ છે. તેમણે કહ્યું હતું કે, આપણા સમાજની આવી ઘણી સંસ્થાઓએ કોરોનાના કપરા સમયમાં પણ અનેક સેવાઓ આપી છે.
આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના પાટીદાર આગેવાન નેતાઓ પણ જોડાયા હતા. આ કાર્યક્રમની અંદર રાજ્યના વિવિધ ક્ષેત્રમાંથી આવતા સાંસદો તેમજ રાજકીય ક્ષેત્રે જોડાયેલા પૂર્વ પદાધિકારીઓ પણ હાજરી આપી હતી. અમદાવાદ શહેરના ડે. મેયર ગીતાબહેન પટેલ તથા ધરતી વિકાસ મંડળના સભ્યો, સમાજના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.