મેરા ગુજરાત, ગીરસોમનાથ
ગીર સોમનાથ જીલ્લાની આન-બાન અને શાન એવુ પ્રભાસ પાટણ ક્ષેત્રમાં અરબી સમુદ્રના કીનારે આવેલ બાર જયોર્તિલીંગ માંનુ પ્રથમ જયોર્તિલીંગ સોમનાથ મહાદેવનું મંદીર લોકોની આસ્થાનું પ્રતિક છે. જેથી આ શ્રી સોમનાથ મંદીરે દેશ-વિદેશમાંથી મહાનુભાવો તેમજ લોકો દર્શનાર્થે આવતાં હોય જેથી વાર-તહેવારે યાત્રાળુઓ અને દર્શનાર્થીઓની ખૂબજ ભીડ રહે છે.
આ સોમનાથ મંદીર સુરક્ષાની દ્રષ્ટીએ અતિ સંવેદનશીલ હોય અને હાલે ઝેડ પ્લસ સિકયુરીટી ધરાવતા વી.વી.આઇ.પી. ઓ આ મંદીરે દર્શનાર્થે આવતાં હોય જે અનુસંધાને . પોલીસ અધિક્ષક , ગીર સોમનાથ નાઓએ આ સોમનાથ મંદીર સુરક્ષાની સરપ્રાઇઝ ચેકીંગ કરતાં, એસ.પી.મનોહરસિહ જાડેજા જાતેથી યાત્રાળુ બની દર્શનાર્થીઓની સાથે મંદીરમાં દર્શનાર્થે જતાં અને એસ.પી.ની સુચના મુજબ એસ.ઓ.જી. ટીમ દ્વારા ડીકોઇ ગોઠવવામાં આવેલ, જેમાં મંદીર મેઇનગેટ પરના સુરક્ષા કર્મીઓએ સઘન ચેકીંગ-ફીક્સીંગ કરતા ડીકોઇ નિષ્ફળ બનાવેલ અને ફરજમાં એલર્ટ રહી ખૂબ જ વ્યવસ્થિત રીતે ચેકીંગ કરેલ હોય, જેઓને ઇનામ આપી પ્રોત્સાહીત કરેલ તેમજ મંદીરના અંદરના ભાગે જે સુરક્ષા કર્મીઓની ફરજમાં બેદરકારી જણાયેલ તેઓ વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવેલ અને સોમનાથ મંદીરની સુરક્ષા માટે જાતેથી સરપ્રાઇઝ વિઝીટ કરી અને તે બાબતે ગંભીરતા લઇ સોમનાથ મંદીર સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન આપેલ છે.