30 જૂનથી શરૂ થતી અમરનાથ યાત્રા માટે સુરક્ષાદળોની વધારાની ત્રણસો કંપનીઓ તૈનાત કરાઈ છે. આ કંપનીઓમાં પચાસ સીઆરપએફ ની ઉપરાંત બીએસએફ, આઈટીબીપી, એસઆરબી અને સીઆઈએસએફ ની કંપનીઓનો સમાવેશ થાય છે.જેઓ યાત્રાના સુચારૂ સંચાલનમાં સેનાને મદદ કરશે.
આ વર્ષે ખૂબ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવવાની સંભાવના છે. વહીવટીતંત્ર તમામ વાહનોમાં RIFD ચીપ લગાવશે. જે કંટ્રોલ રૂમ સાથે જોડાયેલી હશે. નોંધણી કાઉન્ટર પર દરેક શ્રધ્ધાળુને માઈક્રો ચીપ મુક્ત રીસ્ટ-બેન્ડ અપાશે. જે વિવિધ સ્થળે સેટેલાઈટ ટાવરથી જોડાયેલા હશે.
સેટેલાઈટ અને આધુનિક ઉપકરણોની મદદથી 43 દિવસની આ યાત્રા સંચાલન પર સતત દેખરેખ રખાશે.
Advertisement