મેરા ગુજરાત, ભિલોડા
યુથ આદિવાસી એકતા સંગઠન સાબરકાંઠા – અરવલ્લી દ્વારા વિદ્યાર્થીઓને બિન સચિવાલયની પરિક્ષા બનાસકાંઠાના વિવિધ પરીક્ષા કેન્દ્ર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા અવર-જવર માટે તદ્દન નિ:શુલ્ક મફત ફ્રી બસ સેવાનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ સાબરકાંઠા અરવલ્લી ના વિદ્યાર્થીઓ માટે 10 બસો મૂકવામાં હતી, જેમાં 750 વિદ્યાર્થીઓએ બુકિંગ કરાવી નિઃશુલ્ક ફ્રી બસ સેવાનો લાભ લીધો.
સરકારી નોકરી મેળવવા માંગતા વિધાર્થીઓ માટેની આ સાચી સમાજસેવા ને સફળ બનાવવા માટે દિલ ખોલીને સાચા મનથી સહયોગ કરવા બદલ દિલેર-દાતાઓનો સંગઠન દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.પોલીસ કોન્સ્ટેબલ પછી ફરી વખત બિન-સચિવાલય પરીક્ષાના વિદ્યાર્થી મિત્રો માટે ફ્રી બસ સેવા આપનાર આગેવાન
(1) અલ્પેશભાઈ.એલ.વડેરા,દંડક શ્રી જિલ્લા પંચાયત સાબરકાંઠા
(2) કેવલભાઈ.એ.જોષિયારા,સામાજિક આગેવાન
(3) બિપીનચંદ્ર.આર.ગામેતી,તાલુકા સદસ્ય કણાદર વિજયનગર
(4) અજિતભાઈ પારગી,અણસોલ પંચાયત
પેપર લીકની ઘટનાઓને લઇને આ વખતે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ઉમેદવારોનું પરીક્ષા કેન્દ્ર બનાસકાંઠા જિલ્લામાં આવેલ હોવાથી અવર-જવરમાં હાલાકીઓ ન પડે તે માટે વિશેષ બસ વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી હતી, જેથી લાંબા રૂટમાં ઉમેદવારો સરળતાથી પરીક્ષ આપીને ઘરે પરત ફરી શકે.