જાયન્ટ્સ મોડાસા તેમજ અર્બન હેલ્થ સેન્ટર મોડાસા સંયુક્ત વિશ્વ મેલેરિયા દિવસ મોડાસાના સ્લમ વિસ્તાર સર્વોદય નગર આંબેડકર ભવનમાં ઉજવવામાં આવ્યો.
અર્બન હેલ્થ સેન્ટર મોડાસાના આયુષ મેડીકલ ઓફિસર ડોક્ટર શૈલેષભાઈ તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર નિલેશ રાઠોડ દ્વારા મેલેરિયા રોગ શેનાથી ફેલાય છે અને શું કરવાથી નિયંત્રિત કરી અને આપણે રોગમુક્ત થઈ એ તેના વિશે વિસ્તૃત માહિતી સ્લમ વિસ્તાર માંથી આવેલા ભાઈ-બહેનોને આપવામાં આવી તેમની સાથે હેલ્થ સેન્ટરના મિતલબેન, જયેન્દ્રભાઈ અને આશા વર્કર ગાયત્રીબેન , ઉર્મિલાબેન , સવિતાબેન જોડાયા હતા જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન વાઇસ ચેરમેન નીલેશ જોષી ડીસ્ટ્રીક ડાયરેક્ટર પ્રવીણ પરમાર જાયન્ટ્સ મોડાસા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાઠોડ મંત્રી મુકુંદ સોની અને જાયન્ટ્સ મિત્રો હાજર રહ્યા હતા.
મેલેરિયાને નિયંત્રિત કરવા વૈશ્વિક પ્રયાસોની મજબૂત કરવા દર વર્ષે ૨૫ એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ મેલેરિયા દિવસ ની સ્થાપના 2007માં ડબલ્યુ એચ ઓ (WHO) દ્વારા કરવામાં આવી આ દિવસ ની સ્થાપના “મેલેરિયા વિશે શિક્ષણ અને સમજ” પ્રદાન કરવા અને સ્થાનિક વિસ્તારોમાં મેલેરિયાના નિવારણ અને સારવાર માટે વિવિધ સમુદાય આધારિત પ્રવૃત્તિઓ સહિત રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ અમલીકરણ પર માહિતી ફેલાવવા કરવામાં આવી.
વર્ષ 2022 વિશ્વ મેલેરિયા દિવસ ની થીમ મેલેરિયા રોગનો બોજો ઘટાડવા અને જીવન બચાવવા માટે નવી નતા નો ઉપયોગ કરવા રાખવામાં આવી હતી