માલપુર વાત્રક નદી કિનારે આવેલ સ્વયંભૂ રક્ષેસ્વર મહાદેવ ખાતે આજે ભોળાનાથ નો 38 મો પાટોત્સવ ઉજવાયો વહેલી સવાર થી વૈદિક ભૂદેવો દ્વારા મહાદેવ ની રાજોપચાર પૂજા યોજાઈ હતી સંગીતમય પૂજા દ્વારા સમગ્ર મંદિર પરિસર માં ભક્તિ સભર વાતાવરણ જોવા મળ્યું હતું ભૂદેવો દ્વારા હોમાત્મક લઘુરુદ્ર કરવા માં આવ્યો હતો.રક્ષેસ્વર મહાદેવ સાનિધ્ય માં ટ્રસ્ટ મંડળ દ્વારા અનેક વિકાસ ના કામો હાથ ધરાયા છે ત્યારે આજે ભગવાન રક્ષેસ્વર મહાદેવ ના 38 માં પાટોત્સવ નિમિત્તે માલપુર ત્રિવેદી મેવાડા બ્રહ્મણ પંચ ના પ્રમુખ શ્રી વિજય ભાઈ પંડ્યા મંત્રી શ્રી અનિલ ભાઈ ગોર અને તેમની સમગ્ર ટીમે શુભેચ્છાઓ પાઠવી હતી સમગ્ર પાટોત્સવ ના મુખ્ય યજમાન હિંમતનગર માણેક કૃપા વિદ્યાલાય ના સંચાલક શ્રી ગિરિરાજ પંડ્યા દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું પૂજા બાદ બ્રહ્મ ભોજન યોજાયું હતું
અરવલ્લી : માલપુરમાં શ્રી રક્ષેસ્વર મહાદેવ નો 38 મો પાટોત્સવ ઉજવાયો
Advertisement
Advertisement