અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાંથી પસાર થતાં બાયપાસ રોડનો વિરોધ કરાયો, મોડાસા ખાતે જિલ્લા સેવા સદન ખાતે ભિલાડા પંથકના લોકોએ સુત્રોચ્ચાર કરી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું અને ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. ભિલોડાના લીલછા, મઉ ટાંડા અને ખલવાડ વિસ્તારમાંથી હાઇવે બાયપાસ રોડ પસાર કરવા માટે ની તંત્ર દવરા માપણીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેને લઇને ગ્રામજનો અને જાગૃતિ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ ના આગેવાનોએ મકાનો અને ખેતરો કપાત અને રોજી રોટી છીનવાઈ જવાના ભય થી મોડાસા જિલ્લા સેવા સદન મોડાસા ખાતે મોટી સંખ્યા માં આવેલા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. પ્રાંત અધિકારી ખાતે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી. સાથે જ આગામી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર અને ઉગ્ર આંદોલન છેડવાની આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી.જાગૃતિ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખે જણાવ્યું કે, લીલછા, મઉ ટાંડા અને ખલવાડ વચ્ચેથી નિકળતો બાયપાસ રોડમાં કેટલાય ખેડૂતોની નાની જમીન આવી જાય છે. જો બાયપાસ રોડ બને તો એક, બે કે અડધો વીઘો જમીન ધરાવતા ખેડૂતોની જમીન છીનવાઈ શકે એમ છે. આ સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે, આ રોડ વચ્ચે કેટલાય મકાનો આવે છે, તેને પણ નુકસાન પહોંચી શકે એમ છે. આ સાથે જ નાના ખેડૂતોની આજીવિકા પર તરાપ મારવા જેવી વાત છે.વિકાસ સારી બાબત છે પણ વિનાશ થતો હોય તો..!
ગ્રામજનો જ્યારે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા ત્યારે તેમનામાં એક રોષ જોવા મળ્યો હતો. તેઓ બાયપાસ રોડનો વિરોધ નથી કરતા, પણ તેઓની ટૂકડો જમીન છનવાઈ જાય છે તેનો તેઓ વિરોધ કરી રહ્યા છે. ગ્રામજનોએ વિકાસના કાર્યને આવકાર્યું છે, પણ વિનાશ થાય તો તે અસ્વીકાર છે. ગ્રામજનોએ પણ ઉમેર્યું કે, વિકાસ થાય તે અમને પસંદ છે પણ જો કોઇનો વિનાશ થાય તો તે વિકાસ અમને પસંગ નથી અને તે ગેરકાયદેસર છે.
વિકલ્પ માટે વિચારે સરકાર
ગ્રામજનોનું કહેવું છે કે, હાલ ભિલોડામાંથી જે રસ્તો પસાર થાય છે ત્યાંથી જ રોડ કાઢવામાં આવે. તો રોડ સાંકળો પડતો હોય તો રસ્તા વચ્ચે જે દબાણો થયા છે, તે દૂર કરવા જોઇએ. જો આમ પણ ન કરવું હોય તો ઓવર બ્રિજ બનાવીને ભિલોડા નગરમાંથી રસ્તો કાઢવા વિચાર કરવો જોઇએ, જેથી નાન ખેડૂતોની રોજીરોટી છીનવાતી અટકી શકે.
સાંભળો ગ્રામજનોની વ્યથા