નવી દિલ્હી : બુધવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અપડેટ ડેટા અનુસાર, ભારતમાં એક દિવસમાં 31 મૃત્યુ સાથે 3,205 કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. દેશમાં કુલ સક્રિય કેસ વધીને 19,509 થઈ ગયા છે.
સવારે અપડેટ કરાયેલા ડેટા મુજબ, મૃત્યુઆંક વધીને 5,23,920 થયો છે. દેશમાં એકલા કેરળમાં છેલ્લા 24 કલાકમાં 29 લોકોના મોત થયા છે. આ પછી દિલ્હી અને મહારાષ્ટ્રમાં એક-એક મોતનો કેસ નોંધાયો છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, સક્રિય કેસોમાં કુલ 0.05 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રીય COVID-19 રિકવરી રેટ 98.74 ટકા નોંધાયો હતો.
કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,25,44,689 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર 1.22 ટકા રહ્યો છે
રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ અભિયાનના ભાગ રૂપે, છેલ્લા 24 કલાકમાં 4,79,208 લોકોને રસી આપવામાં આવી છે, દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,89,48,01,203 ડોઝ લેવામાં આવ્યા છે.
ભારતમાં કોવિડ-19નો આંકડો 7 ઓગસ્ટ, 2020ના રોજ 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ, 5 સપ્ટેમ્બરે 40 લાખ અને 16 સપ્ટેમ્બરે 50 લાખને પાર કરી ગયો હતો.
28મી સપ્ટેમ્બરે 60 લાખ, 11મી ઓક્ટોબરે 70 લાખ, 29મી ઓક્ટોબરે 80 લાખ, 20મી નવેમ્બરે 90 લાખ અને 19મી ડિસેમ્બરે એક કરોડને પાર કરી ગયો હતો.
દેશે 4 મેના રોજ 20 મિલિયન અને ગયા વર્ષે 23 જૂનના રોજ 30 મિલિયનનો ગંભીર માઇલસ્ટોન પાર કર્યો હતો.