ગુજરાતમાં ટેટ પરીક્ષા આયોજન કરવા અંગે હાઈકોર્ટમાં થઈ અરજી. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યા સમીક્ષા કેન્દ્રનું જોર જોરથી ભાષણ કરીને ઉદ્ઘાટન કરી ગયા તેમજ ગુજરાતમાં શિક્ષણ ખૂબ ઉત્તમ કક્ષાનો અપાય છે તેવું દેખાડો કરી ગયા, પરંતુ વાસ્તવિકતા તો કઈ ઉંધુ જ કહે છે.
ઉલ્લેખનીય છે કે 2017માં પરીક્ષાના આયોજન બાદ છેલ્લા પાંચ વર્ષથી એક પણ ટેટ પરીક્ષા નું આયોજન કરાયું નથી.પરિણામે બી.એડ કરેલા આશરે સાડા ત્રણ લાખ જેટલા વિદ્યાર્થીઓ ની શિક્ષક બનવાની આશા પર ખૂબ મોટું નિરાશાના વાદળો છવાઈ ગયા છે. બુધવારના રોજ હાઈકોર્ટમાં આ અતિ ગંભીર બાબત અંગે અરજી દાખલ કરાતા ગુજરાત સરકારને ભાવિ શિક્ષકો ના આશાસ્પદ કરિયર અંગે આવનારા દિવસોમાં જવાબ આપવો પડશે.સાથે સાથે એ પણ જોઈ લેવાનું છે કે શિક્ષણની મોટી મોટી ગુલબાંગો ઠોકતી ગુજરાત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોડેલ ગુજરાતના શિક્ષણ અંગે કે નવા શિક્ષકોની નિમણૂંક અંગે ભાજપ સરકાર કેટલી બેદરકાર છે તેની પણ માહિતી આવનારા દિવસોમાં હાઈકોર્ટને ગુજરાત સરકારે આપેલા જવાબમાં જાહેર થશે.