અરવલ્લી જિલ્લામાં આત્મહત્યાના બનાવો દિવસે ને દિવસે વધતા જતા હોય છે જેમાં ઘરેલુ હિંસામાં ક્યાંક ને ક્યાંક પતિ પત્ની ના જઘડામાં પણ કેટલાક લોકો ન સહન થતા પોતાના જીવને ખોઈ બેસે છે અન્યથા આ બધી બાબતો થી સમાજ અને કુટુંબમાં હવે એક નવો દોર શરુ થયો હોય તેવું લાગી રહ્યું છે અને છેવટે પતિ અને પત્ની ના કંકાશ ને કારણે આડું અવરુ પગલું ભરી છેવટે આત્મહત્યા કરી અવનવા કિસ્સા સામે આવતા હોય છે.
મેઘરજ તાલુકામાં આવેલા પાલ્લા ગામ જ્યાં કોકિલાબેન નામની 25 વર્ષીય મહિલાના લગ્ન પાલ્લા ગામમાં 12 વર્ષ પહેલા ભરતભાઈ રાઠોડ નામના યુવક સાથે સમાજના રીતરિવાજ મુજબ લગ્ન કરેલા હતા.અને પોતાના ત્રણ સંતાનો સાથે પોતાનું જીવન ગુજરતા હતા.પરંતુ ગત રાત્રીના સમયે મેઘરજના પાલ્લા ગામે ૨૫ વર્ષીય મહિલાએ ગળેફાંસો ખાઇ જીવન ટુકાવ્યુ હોવાની ચકચારી ભરી ઘટના સામે આવી છે જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર મેઘરજ તાલુકાના પાલ્લા ગામે ૨૫ વર્ષીય મહિલાએ પોતાનાજ ઘરે કોઇ અગમ્ય કારણો સર ગળે ફાંસો ખાઇ લેતાં મહિલાનુ મોત નીપજ્યુ હતુ મહિલાના ભાઇએ મ્રુતક મહિલાની હત્યા થઇ હોવાના આક્ષેપ કર્યા હતા
4/5/2022 રાત્રીના સમયે કોકીલાબેને પોતાના ઘરમાં કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લેતાં કોકીલાબેનનુ મોત નીપજ્યુ હતુ જેની જાણ મ્રુતકના પિયરમાં થતાં મ્રુતકના પિયરીયાઓ પાલ્લા ગામે આવી કોકીલાબેનના ઘરે જઇ જોતાં ઘરની અંદર પાછળના ખંડમાં ખાટલામાં કોકીલાબેન મરણ ગયેલ હાલતમાં હતાં પરંતુ મ્રુતકના ભાઇ મુકેશ લક્ષ્મણ ડામોરે કોકીલાબેનની તેના પતિ ભરત હાથી ડામોરે હત્યા કરેલ છે તેવો આક્ષેપ કરતાં મેઘરજ પોલીસે એડી દાખલ કરી મ્રુતદેહને પીએમ અર્થે મેઘરજ સરકારી દવાખાને લઇ જવાયો હતો