અરવલ્લી જિલ્લા કક્ષાએ “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” તા. 26/05/2022 (ગુરુવાર)ના રોજ 11.00 કલાકે અરવલ્લી જિલ્લા કલેકટર કચેરી મોડાસા ખાતે યોજવામાં આવશે. જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંગેના પ્રશ્નો બે નકલમાં અરજદારોએ 16/05/2022 સમય 16.00 કલાક સુધીમાં કલેકટર કચેરી ખાતે મોકલી આપવાના રહેશે.
આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્યાયિક કે અર્ધન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ આ કાર્યક્રમમાં અગાઉ રજૂ થયેલ પ્રશ્નો ફરીથી રજૂ કરવાનાં રહેશે નહી. વધુમાં, પ્રથમવાર અરજી કરતાં હોય તેવા પ્રશ્ન પણ રજૂ કરવા નહિ તેમજ એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકાશે. અરજીના મથાળે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેની અરજી એમ લખાવાનું રહેશે. અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે આપવાની રહેશે.
જિલ્લાના લોકોના પડતર પ્રશ્નો કે, સ્થાનિક કક્ષાએ સાંભળવામાં ન આવતા હોય તેવા પ્રશ્નોની રજૂઆત કરવા અને તેનું નિરાકરણ લાવવા વિશેષ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં અરજદારો જોડાય તે માટે પણ અપીલ કરવામાં આવી છે. આ માટે અરજી કરવાની રહેશે.