42 C
Ahmedabad
Saturday, May 18, 2024

સાબરકાંઠા : ઈડર – વડાલી વચ્ચે જૈન સાધ્વીજીને નડ્યો ગોઝારો અકસ્માત, અજાણ્યા વાહને અડફેટે લેતા શ્રાવીકાનું મોત


અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં 9 મે ના રોજ ગોજારો સોમવાર સાબિત થયો. મોડાસા અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા તો સાબરકાંઠા જિલ્લાના ઈડર વડાલી વચ્ચે જૈન સાધ્વીજીને ગોઝારો અકસ્માત નડતા ગંભીર રીતે ઇજાગ્રસ્તો થયા જ્યારે સાધ્વીજી સાથે વિહાર કરતા શ્વાવીકાનું મોત નિપજ્યું હતું.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ ઈડરથી વડાલી તરફ વિહાર કરી ચાલતા જતાં હતા ત્યારે જૈન સાધ્વીજીને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધા હતા જ્યાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી, તો તેમની સાથે વિબાર કરતા શ્રાવીકાને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે જૈન શ્રાવીકાનું મોત નિપજતાં સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. રોડ અકસ્માતમાં જૈન સાધ્વીજી અને શ્રાવીકાને અકસ્માત નડ્યાની જાણ થતાં લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને જૈન સમાજમાં શોકની લાગણી પ્રસરી હતી. અકસ્માતની જાણ થતાં ડી.વાય.એસ.પી. સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી અકસ્માત સર્જી ફરાર થયેલા અજાણ્યા વાહનનો શોધવા માટે તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!