33 C
Ahmedabad
Wednesday, May 8, 2024

અરવલ્લી : ધનસુરાના આકરૂન્દ ખાતે સુખ્યાત સર્જક ડૉ. મણિલાલ પટેલ ની ઉપસ્થિતિમાં સર્જક સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો


આકરૂન્દ પ્રાથમિક શાળાની સંદેશ લાઈબ્રેરી વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ થી સતત ધબકતી રહે છે. ગત રવિવારના રોજ સંદેશ લાઇબ્રેરીમાં જાણીતા સર્જક અને વિવેચક ડૉ. મણિલાલ હ. પટેલ ઉપસ્થિતમાં સર્જક સાથે સંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં વિવિધ જિલ્લાઓમાંથી સર્જકો અને સાહિત્યરસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement

આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહજી પરમાર, મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બીપીનભાઈ શાહ, શબ્દ સેતુ સાહિત્યિક ગૃપ ના પ્રમુખ ડૉ. જીગ્નેશ સુથાર, જાણીતા ગીતકાર અરવિંદભાઈ ગજ્જર વિશેષ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ અંતર્ગત ડૉ. મણિલાલ હ. પટલે સર્જન ક્ષેત્રના પોતાના અનુભવોની સુંદર પ્રસ્તુતિ કરી હતી. અને સર્જન ક્ષેત્રે મૂંઝવતા પ્રશ્નોના અંતર્ગત માર્ગદર્શન પણ આપ્યું હતું. આકરુન્દ શાળાના આચાર્ય અને સર્જક ઈશ્વર પ્રજાપતિએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!