અરવલ્લી જિલ્લામાં વન વિભાગ ઊંધા માથે….
Advertisementઠેર ઠેર જંગલોમાં આગ છતાં વનવિભાગ મૂક પ્રેક્ષક
Advertisementજિલ્લા વહીવટી તંત્ર પણ કોઇ રીપોર્ટ નથી માંગતું કે શું…?
Advertisementદર વર્ષે આગ લાગે છે પણ કોઇના પેટનું પાણી નથી હલતું !
Advertisementઆગની ઘટનાનો રીપોર્ટ માંગવાની જવાબદારી કોની ?
Advertisementવિજિલન્સની ટીમ દ્વારા આગના કારણો જાણવા તપાસ થવી જોઇએ
Advertisementજિલ્લા ફોરેસ્ટ અધિકારીની કોઇ જ જવાબદારી નથી કે શું..?
Advertisementમોડાસા રેંજ ફોરેસ્ટ ઓફિસર શું કરે છે ?
Advertisementગયા વર્ષે પણ આ જ જગ્યાએ લાગી હતી આગ !!
Advertisementદર વર્ષે એક જ જગ્યાએ આગ લાગવી તે સંજોગ કે કરામત ?
Advertisement
અરવલ્લી જીલ્લામાં આવેલા જંગલ અને ડુંગર પર રહેલી વનરાજીમાં આગ લાગવાના બનાવોમાં ચિંતાજનક વધારો થવાની સાથે રહસ્યમય બની રહ્યા છે એક જ સપ્તાહમાં ડુંગર અને જંગલમાં આગ લાગવાની ઘટના બનતા વનવિભાગ તંત્રની બેદરકારી છતી થઈ છે મોડાસાના સરડોઇ ગામ નજીક ચામુંડાના ડુંગર તરીકે જાણીતા ડુંગર પર આગ લાગતા વનવિભાગ તંત્રના ૧૦ થી વધુ કર્મચારીઓ આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથધર્યા હતા તેમ છતાં આગ કાબુમાં ના આવતા નજીકમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
જુઓ આગનો ભિષણ વીડિયો
મંગળવારે બપોરના સુમારે સરડોઇ ગામ નજીક આવેલા ડુંગર પર આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી ડુંગરના જગલમાં રહેલા સૂકા પાંદડા, ઝાડ અને પવનના લીધે આગ ઝડપથી પ્રસરતા આગ નું રૌદ્ર સ્વરૂપથી ગામલોકો દોડી આવ્યા હતા અને આગના લબકારાથી ભયભીત બન્યા હતા વનવિભાગ કર્મચારીઓ દોડી પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવા પ્રયત્ન હાથધર્યા હતા આગના બનાવને રોકવા માટે વન વિભાગ દ્વારા ફાયર લાઈન તૈયાર કરી આકસ્મિક આગ લાગેતો જંગલ વિસ્તારમાં વધુ પ્રસરતી આગ ફાયર લાઈન સુધીજ સીમિત થઈ જાય તેવા પ્રયાસો કરાતા હોય છે છતાં સમયાંતરે લગતી આગ માં વનરાજી નષ્ટ થઈ જતા પર્યાવરણને પારાવાર નુકશાન ભોગવવું પડે છે.
ચામુંડા ડુંગર પર લાગેલી આગે વિકરાળ સ્વરુપ પકડતાં જંગલમાં લગભગ 500 મીટર સુધીના વિસ્તારમાં ભરડો લીધો હતો. આગની જાણ થતાં ફાયરબ્રીગેડની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મહામહેનતે સતત ચાર કલાક ઝઝૂમીને આગને કાબૂમાં લીધી હતી.બપોરના સમયે અહીં અંદાજે 500 મીટરના ડુંગરાળ વિસ્તારોમાં આગ લાગી હતી.