અરવલ્લી જિલ્લા ના મોડાસા ખાતે એન.જી.ઓ. માર્ગદર્શન સેમીનાર પોષ અર્બન હૉલ મોડાસા ખાતે યોજાયો હતો, આ સેમીનારમાં નમસ્કાર એન.જી.ઓ. મહાસંઘના જગદિશ રામન ( રામન સર) દ્વારા એન.જી.ઓ. ને લગતી પ્રવૃત્તિઓ તેની મર્યાદાઓ ડોનેશન મેળવવા માટે ની પાત્રતા અને કાયદાકિય મર્યાદાઓ વિશે માહિતી અને માર્ગદર્શન વિસ્તાર પૂર્વક સમજાવવા માં આવ્યું હતું આ સમગ્ર માર્ગદર્શન સેમીનાર નું આયોજન નમસ્કાર એજ્યુકેશન ટ્રષ્ટ, વડોદરા દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એન.જી.ઓ. માર્ગદર્શન સેમીનાર માંં ઉપસ્થિત એન.જી.ઓ.ના પ્રતિનિધીઓને સેમીનાર માં માર્ગદર્શન મેળવવા બદલ સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા ત્યારે એન.જી.ઓ. ચલાવવા માટે નું સંપુર્ણ માર્ગદર્શ આપવા બદલ એન.જી.ઓ. પ્રતિનિધીઓએ જગદિશ રામન ( રામન સર) નો આભાર માન્યો હતો.