કર્ણાટકમાં શુક્રવારના પણ મુશળધાર વરસાદ શરૂ રહ્યો હતો અને ભારે વરસાદને પગલે રાજ્યના તટીય ક્ષેત્રમાં ભૂસ્ખલનની આશંકા વધી ગઈ છે. રાજ્યમાં પડતા ધોધમાર વરસાદને કારણે જનજીવન ખોરવાયુ અને ભારે વરસાદને પગલે અત્યાર સુધી 9 વ્યક્તિઓના મોત થયા હતા.
કર્ણાટકમાં થઇ રહેલો વરસાદથી સામાન્ય નાગરિકોના જીવન પર અસર પડી રહી છે અને હાલ રાજ્યમાં રુકી રુકીને વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે NDRFની 4 ટીમ તૈનાત કરવામાં આવી છે અને નીચાણ વાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ રહી છે.
ભારે વરસાદના કારણે સ્કૂલ તેમજ કોલેજ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ભારે વરસાદને લીધે ઘણી જગ્યાએ પાણી ભરાવવાની સમસ્યા સર્જાણી છે. અત્યાર સુધી ભારે વરસાદને લીધે 23 ઘરો ક્ષતિગ્રસ્ત થયા હવાના એહવાલ છે.
મહેસૂલ મંત્રી આર અશોકે માહિતી આપી છે કે હવામાન વિભાગે ચિકમગલુર, દક્ષિણ કન્નડ, ઉડુપી, શિવમોગ્ગા, દાવંગેરે, હસન અને ઉત્તરા કન્નડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ એસ. બોમ્માઈએ રાજધાની બેંગલુરુના અનેક વિસ્તારોની મુલાકાત લીધી છે જે પાણી ભરાવાથી પ્રભાવિત છે.