34 C
Ahmedabad
Saturday, May 4, 2024

Technology : ખારા પાણી માંથી બનશે પીવા લાયક મીઠું પાણી, નવું ડિવાઈસ બનવ્યું


સુરતના પાંચ યુવાનોએ સોલાર પાવરથી ખારા પાણીને શુદ્ધ કરતું ભારતનું પહેલું ડિવાઈસ બનાવ્યું છે જોકે સાત વર્ષની મહેનત બાદ યુવાનોના સ્ટાર્ટ અપને સફળતા મળી છે. ત્યારે ઓલપાડમાં સૌર ઉર્જાથી દરિયાના પાણીને પીવાલાયક બનાવવાના પ્લાન્ટ માટે રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા રૂ.30 લાખની સહાય પણ આ યુવાનોને આપવામાં આવી છે.

Advertisement

જોકે આ પ્લાન્ટ 2 હજાર લિટર પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતો ઉભો કરાયો છે, જ્યાં ખારા પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા પ્રતિ લિટર માત્ર 50 થી 55 પૈસા જેટલોજ ખર્ચ કરી શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થઇ શકે છે.. શું છે આ નવીનતમ તેક્નોલોજી જોઈ એ અમારા સવાદદાતા ગૌતમ પટેલ ના વિષેશ અહેવાલમાં… કેવી રીતે મળ્યું “પરિશ્રમનું ફળ”….

Advertisement

આજકાલ ઘણા બધા જિલ્લાઓમાં પાણીની ખુબજ અછત જોવા મળે છે. અને લોકોને આ પાણીની અછત ના કારણે ખૂબ જ તકલીફ પણ વેઠવી પડે છે.અને તેના આધારે જ રાજ્ય સરકારે પીવાના પાણીના પ્રશ્નો નું નિરાકરણ લાવવા માટે ખૂબ જ પ્રયત્નશીલ રહેતા હોય છે. ત્યારે ‘નલ સે જલ યોજના’ થકી છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં પણ પાણીને ઘર ઘર સુધી પહોંચાડવાનું અવિરત કાર્ય થઇ રહ્યું છે. ત્યારે સરકારના આ ભગીરથ કાર્યને વધુ વેગ આપવા અને પાણીની અછતને પહોંચી વળવા તેમજ દરિયાના ખારા પાણીનો ઉપયોગ કરીને તેને પીવાલાયક બનાવવા માટે સુરતના પાંચ યુવા સાહસિકોએ ‘સોલેન્સ એનર્જી’ સ્ટાર્ટ અપ શરૂ કરીને ભારતના સૌપ્રથમ સૂર્ય ઉર્જાથી સંચાલિત યંત્રનો આવિષ્કાર કરી બતાવ્યો છે.

Advertisement

આ સ્ટાર્ટપના યુવા સૂત્રધારો યશ તરવાડી, ભૂષણ પર્વતે, નિલેશ શાહ, ચિંતન શાહ અને જ્હાન્વી રાણાએ સાત વર્ષની સખત મહેનત બાદ ખારા પાણીનો મીઠો ઉકેલ શોધી કાડ્યો છે. જ્યાં તેમણે સુરત જિલ્લાના ઓલપાડમાં ખાસ ઉપકરણની મદદથી દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવવાનો પ્લાન્ટ ઉભો કર્યો છે, જેમાં પ્રતિ લિટર માત્ર ૫૦ થી ૫૫ પૈસા ખર્ચથી પ્રતિદિન 2000 લિટર દરિયાના ખારા પાણીને શુદ્ધ કરી શકાય તેવો ટેકનોલોજી નો આવિષ્કાર કરી બતાવ્યું છે. તદ ઉપરાંત પ્રતિ લીટર ૩૫ ગ્રામ સિંધવ લૂણ મીઠું પણ મળી રહે તેવું આ યંત્ર છે.

Advertisement

જાણીએ પ્લાન્ટનો કેવી રીતે થયો આવિષ્કાર

Advertisement

જ્યાં મહત્વનું છે છે આ પ્લાન્ટ વિકસાવવા માટે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને રાજ્ય સરકારના સ્ટાર્ટ અપ ગુજરાત યોજના હેઠળ ઈન્ડસ્ટ્રીઝ કમિશનરેટ-ગાંધીનગર દ્વારા રૂ.30 લાખની સહાય પણ મળી છે. જ્યાં તેમણે આ ઉપકરણનું પેટન્ટ પણ કરાવ્યું છે. ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ હેઠળ સરકાર દ્વારા પેટન્ટ માટે રૂ.25,000ની સહાય પણ આપવામાં આવી છે.

Advertisement

સંશોધનમાં 15 વાર નિષ્ફળ ગયા બાદ 16 મી વખત મળી સફળતા

Advertisement

કહેવાય છે ને ધીરજ ના ફળ મીઠા હોય છે તેવી જ રીતે આ ખારા પાણી માંથી મીઠા પાણી બનાવટી વખતે આ સંશોધન દરમિયાન યુવાનોને 15 વાર નિષ્ફળતા મળી હતી, પરંતુ હિંમત હાર્યા વિના સતત પરિશ્રમ જારી રાખ્યો અને 16મો પ્રયત્ન રંગ લાવ્યો અને સફળ સાબિત થયો. લગાતાર નિષ્ફળતા પછી લક્ષ્યસિદ્ધિ હાંસલ કરવામાં આખરે આ યુવાનોને સફળતા મળી છે. ડિવાઈસથી ખારા પાણીમાંથી બનતું પાણી મિનરલયુક્ત છે, તેમજ પાણીજન્ય રોગોમાં રાહતરૂપ છે.

Advertisement

આ પ્રોજેક્ટની માહિતી આપતા સ્ટાર્ટ અપ ટીમના સભ્ય શ્રી યશ તરવાડીએ જણાવ્યું હતું કે, પૃથ્વીનો 71 ટકા વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે. આમ છતાં આજે દુનિયાના ઘણા દેશો પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ભવિષ્યમાં પાણીની મોટી અછત ઉદ્દભવે તેવી શક્યતા વિશ્વના વૈજ્ઞાનિકો દર્શાવી રહ્યા છે પાણીની સમસ્યા વિશે સમાચારો જોયા-વાંચ્યા પછી દૂષિત પાણીનું શુદ્ધિકરણ કરી પાણીનો પુનઃ ઉપયોગ થઈ શકે એવું સ્ટાર્ટ અપ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. જેથી અમારી પાંચ મિત્રોની ટીમ દ્વારા કોલેજકાળના એન્જિનિયરીંગના અભ્યાસ દરમિયાન જ પાણીને પીવાલાયક બનાવવા ‘સોલેન્સ એનર્જી’ નામથી સ્ટાર્ટઅપ શરૂ કર્યુ હતું

Advertisement

આ સંશોધનથી કેવી રીતે થશે ખારા પાણી માંથી પીવાલાયક મીઠું પાણી ?

Advertisement

આ સોલાર પાવર ડિવાઇસ કેવી રીતે કામ કરે છે ત્યારે તેમને જણાવ્યું હતું કે સૂર્યના કિરણોને મશીનની વોકલ કોર્ડ પર કેન્દ્રિત કરીને, ખારા પાણીને કોન્સેન્ટ્રેટર નામના ઉપકરણમાં ખેંચવામાં આવે છે, એટલે કે રીસીવર. ખારા પાણીમાં મીઠું અને અન્ય ભાગો રીસીવરમાં રહે છે, અને માત્ર વરાળ ખસે છે. હીટ એક્સ્ચેન્જર નામનું ઉપકરણ વરાળને પ્રવાહી સ્વરૂપમાં ફેરવે છે. આ પ્રોસેસ્ડ પાણી પછી પીવાલાયક બને છે.

Advertisement

આ સમગ્ર પ્રોજેક્ટ જે દૂરના દરિયાકિનારાના વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવ્યો છે તેથી ગામડાના લોકોને ખૂબ જ સારું અને પીવાલાયક પાણી મળી રહે તેથી જ શહેરની સાથે સાથે ગામડામાં પણ આ પ્રોજેક્ટ શરૂ કરવાનું તમે વિચાર્યું હતું અને તેની માટે અમે ખૂબ જ પ્રયત્નશીલ છીએ ગ્લોબલ વોર્મિંગ ના આધારે વિશ્વમાં તાપમાનનો ખૂબ જ વધારો થતો જોવા મળ્યો છે અને તેની ખૂબ જ વિકટ પરિસ્થિતિ પણ ઊભી થઈ છે ત્યારે પાણીની સમસ્યાને દૂર કરવા માટે આ૫ યુવાનોની પહેલ સમગ્ર દેશને પાણીના ક્ષેત્રમાં ખૂબ જ આત્મનિર્ભર બનાવવા માટે કાર્યરત છે.

Advertisement

સરકાર આ સંશોધન ઉપર ભાર આપે રણ પ્રદેશમાં ફરજ બજાવતા સૈનિકોને પણ મળી રહેશે પીવાનું મીઠું પાણી

Advertisement

આપણે જાણીએ છીએ કે કચ્ચ ભુજમાં રન પ્રદેશ તેમજ દરિયાઈ વિસ્તારના કારને પીવા લાયક મીઠું પાણી મેળવું મુશ્કેલ છે ત્યારે દુર સરહદ પર ફરજ બજવતા આપના જવાનોને પણ સહેલાઇ પીવાલાયક મીઠું પાણી આ પ્રોજેક્ટ થી મળી શકે છે ત્યારે ગુજરાત સરકારે પણ આ વિદ્યાર્થીઓના સંશોધન પર ભાર આપે તેવી હાલ આશા સેવી રહ્યા છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!