36 C
Ahmedabad
Sunday, May 5, 2024

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખની વરણી ને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં આંતરિક વિખવાદો


સાબરકાંઠા કોંગ્રેસના પ્રમુખની નવનિયુક્તિ બાબતે કોંગ્રેસી કાર્યકરોમાં આંતરિક વિખવાદો થતા ઉત્તર ગુજરાતપ્રભારીને રજૂઆત કરાઈ

Advertisement

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં અંતરિક વિખવાદો….!!!

Advertisement

સાબરકાંઠા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરેશભાઈ પટેલને નવા પ્રમુખ તરીકે વરણી થયા બાદ કોંગ્રેસી કાર્યકરોમાં અંદરખાને વિવાદના વંટોળો ઉભા થયા છે. જિલ્લા કોંગ્રેસના પ્રમુખની વરણીને લઈને કાર્યકરો મા નિરાશા જોવા મળી રહી છે. ત્યારે સુરેશભાઈ પટેલ જિલ્લા પ્રમુખ તરીકે આજે પદભાર ગ્રહણ કરવાના હતા જેમા નારાજ થયેલા કાયર્કરો એ આવવાનું ટાળ્યું હતું.

Advertisement

વિવાદ ને લઇ ને નિરાશ કોંગ્રેસી કાર્યકરો આજે સવાર થી જ નવા સર્કિટ હાઉસ ખાતે ઉત્તર ગુજરાત પ્રભારી ની રાહ જોઈ રહ્યા હતા ત્યારે નવ નિયુક્ત કરાયેલ પ્રમુખના નિર્ણયથી નારાજ થયેલ કોંગ્રેસના કાર્યકરોએ ઉત્તર ગુજરાતના પ્રભારીને રજૂઆતો કરી હતી અને યોગ્ય નિરાકરણ નહિ આવે તો આગામી સમયમાં કાર્યકરો એ પોતાના હોદ્દો પર થી રાજીનામું આપવાની ચીમકી પણ આપી હતી. આ સમગ્ર મામલે ઉત્તર ગુજરાત પ્રભારીએ ઉભા થયેલી વિખવાદો નો મુદ્દો શાંત પાડ્યો હતો ને કહ્યું હતું કે આગામી 10 દિવસ મા યોગ્ય નિરાકરણ લાવવામા આવશે .

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!