સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાની ત્રીજી લહેરની આશંકા પછી ચોથી લહેરની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વચ્ચે કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં કોરોનાના નવ 5 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સાબદુ બન્યું છે. અરવલ્લી જિલ્લાના બાયડ અને ભિલોડા તાલુકામાં કોરોનાના કુલ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે.
અરવલ્લી જિલ્લામાં મંદ પડેલ કોરોના ફરીથી સક્રિય થયો હોય તેવું લાગી રહ્યું છે. બાયડના ભગજીના મુવાડામાં 60 વર્ષિય મહિલા, ઝંખારિયામાં 75 વર્ષિય મહિલા અને 53 વર્ષિય પુરૂષ મળી કુલ 3 લોકો કોરોના સંક્રમિત થઇ છે તો ભિલોડા તાલુકાના રાઇસિંગપુરમાં 49 વર્ષિય પુરુષ અને 51 વર્ષિય પુરુષ મળી કુલ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે.
અરવલ્લી જિલ્લામાં કોરોનાના વધતા કહેર વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, તો બાકી રહી ગયેલા લોકોના વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોષમાં હાથ ધરવામાં આવી છે. અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગની અલગ-અલગ ટીમ દ્વારા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સર્વેની કામગીરી શરૂ કરાઈ છે.