ઈડર બસ સ્ટેશન ખાતે યોજાયેલ વિદાય સમારંભમાં એસટી બસના કર્મચારીઓ બાખડતા મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા.
કર્મચારીઓ બખડતા હવે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે ઇડર પોલીસે સમગ્ર મામલે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઇડર ડેપોમાં ડ્રાઇવરની વય નિવૃત્તિ નિમિત્તે વિદાય સમારંભ યોજાયો હતો જેમાં એસટી ડેપોમા વિદાય સમારંભ મા બેસેલા હસમુખભાઈ ગોવાભાઈ પરમાર ખુરશી મા બેઠા હતા તે દરમિયાન નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ ઝાલા નામના કર્મચારી તેમની આગળ આવી તું અહીંયા ખુરશીમાં કેમ બેઠો છે તેમ કહી બિભસ્ત ગાળો બોલી અને જાતિ વિષયક અપમાન કર્યુ હતુ ત્યારે હસમુખભાઈ એ તેમને મોઢું સંભાળીને વાત કરો તેવું કહેતા નરેન્દ્રસિંહ એ ઉસકે રાઈને મા બેન સામો ગાળો આપે ખેચંમતાણી કરી શર્ટ ફાડી નાખી ખુરશીમાંથી નીચે પાડી દઈને ઘડદા પાટુનો માર માર્યો ત્યાંથી ભાગી ગયો હતો. આ અંગે હસમુખભાઈએ ઇડર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક કરી રહ્યા છે.