ગુજરાત પંચાયત મહાસંમેલનમાં ઉપસ્થિત રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ શાળાઓના જન્મદિવસની ઉજવણી કરવમાં આવેનું આહવાન કર્યું હતું અરવલ્લી જીલ્લાના શામળાજી નજીક આવેલી શ્રી નવાગામ પ્રાથમિક શાળાના 45 માં જન્મદિવસની ઉજવણી રંગે ચંગે કરવામાં આવી હતી સમગ્ર શાળા અને શાળાના પરિસરને સુંદર રીતે શણગારવામાં આવી હતી અને કેક કાપી ઉજવણી કરી હતી આ ઉજવણીમાં કિન્નર સમાજે બાળકોને અભ્યાસ સામગ્રીનું વિતરણ કરી માનવતા મહેંકાવી હતી આ ઉજવણીમાં ગ્રામજનો ઉપસ્થિત રહી બાળકો અને શાળા સ્ટાફને પ્રોત્સાહિત કર્યો હતો
શ્રી નવા ગામ પ્રાથમિક શાળાના શૈક્ષણિક સ્ટાફે અને બાળકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને વધાવતા 45 માં જન્મદિવસની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય સોનલ બેન પરમાર અને શિક્ષકમિત્રોએ બાળકો સાથે મળી શાળાને રંગબેરંગી ફુગ્ગોનો ઉપયોગ કરી શણગારી હતી અને શાળા પરિસરમાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં કેક કાપી એક બીજાના મોં મીઠા કરાવી ઉજવણી કરી હતી આ ઉજવણીમાં કિન્નર સમાજ પણ જોડાયો હતો અને શાળામાં અભ્યાસ કરતા બાળકોને નોટ બુક, કંપાસ અને ફૂટપટ્ટી તેમજ બોલપેન આપી પ્રોત્સાહિત કર્યા હતા.
પ્રાથમિક શાળાના 45 માં જન્મદિવસની કેક કાપી રંગેચંગે ઉજવણી : શ્રી નવાગામ પ્રાથમિક શાળાની ઉજવણીમાં કિન્નર સમાજે બાળકોને દાન
Advertisement
Advertisement