માલપુર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પંચ સંચાલિત શ્રી રક્ષેસ્વર મહાદેવ સાનિધ્યે વૈદીક પદ્ધતિ થી દાતાઓ ના સહયોગ થી બનાવેલ યજ્ઞશાળા નો શુભારંભ નિમિત્તે ભૂદેવો દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યોજાયો હતો
માલપુર ખાતે વેત્રવતી નદી ના કિનારે આવેલ ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ સંચાલિત દેવાધિદેવ શ્રી રક્ષેસ્વર મહાદેવ મંદિર ખાતે સમાજ ના ભમશાઓ ના દાન થી થઈ રહેલા વિકાસ ના કામો પૈકી નું એક મહત્વ નું કહેવાય એવી યજ્ઞશાળા નો આજે શુભારંભ કરાયો યજ્ઞ મંડપ નું શાસ્ત્ર માં બહુ મહત્વ છે કોઈપણ યજ્ઞ કરવો હોય તો જેવો યજ્ઞ જેટલી આહુતિ હોય એટલા પ્રમાણ માં યજ્ઞ કુંડ અને મંડપ બનાવવો પડે છે તે મુજબ માલપુર બ્રહ્મ સમાજ સંચાલિત મહાદેવ સનીધ્યે પ્રખર વેદ આચાર્યો દ્વારા નક્કી કરેલ માપ મુજબ વૈદિક પદ્ધતિ થી ચાર વેદ ના ચાર દ્વાર સહિત અધ્ય માં યજ્ઞ કુંડ બનાવી આખી યજ્ઞ શાળા 22 લાખ રૂપિયા ના ખર્ચે નિર્માણ પાણી એની બાજુ મા જ પ્રતીક્ષા ખંડ બનાવવા માં આવ્યો છે જેથી યજ્ઞશાલા માં યજ્ઞ કરતા ભૂદેવો સિવાય સમાજ ના અગ્રણી શ્રધ્ધાળુ ભાઈ બહેનો ત્યાં બેસી યજ્ઞ નો લાભ લઇ શકે આ યજ્ઞ શાળા સમાજ ના શુભ ચિંતકો દ્વારા મળેલ દાન દ્વારા બનાવવા માં આવી છે જેમાં યજ્ઞશાળા અને પ્રતિક્ષાલાય ના મુખ્ય દાતા સર્વ શ્રી સ્વ રૂક્ષ્મણી બેન ભવાની શંકર ઉપાધ્યાય તથા સ્વ આનંદીબેન કનૈયાલાલ ઉપાધ્યાય ના સ્મરણાર્થે સ્વ કનૈયાલાલ ભવાની શંકર ઉપા પરિવાર દ્વારા દાન આપવામાં આવ્યું તથા ભવ્ય પ્રતિક્ષાલય માટે માલપુર ના જ વતની અને હાલ અમેરિકા સ્થિત ઉદ્યગપતિ શ્રી વિષ્ણુપ્રસાદ જે ગોર તથા શ્રીમતી સૂર્યાબેન વિષ્ણુ પ્રસાદ ગોર દ્વારા દાન આપવા માં આવ્યું હતું આજ રોજ આ વૈદિક યજ્ઞશાળા અને ભવ્ય પ્રતિક્ષાલાય નો શુભારંભ નિમિત્તે માલપુર બ્રહ્મ સમાજ ના પ્રખર પંડિતો દ્વારા હોમાત્મક લઘુરુદ્ર કરવામાં આવ્યો આ હોમાત્મક લઘુરુદ્ર માં બંને મુખ્ય દાતાઓ વતી માલપુર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પંચ ના પ્રમુખ શ્રી વિજેશ કુમાર કે પંડ્યા સજોડે પૂજા માં યજમાન પદે સ્થાન શોભવ્યું હતું આ હોમાત્મક લઘુરુદ્ર બાદ સમાજ ના આબાલવૃદ્ધ સૌકોઈ માટે યજમાન દાતાઓ દ્વારા બ્રહ્મ ભોજન નું આયોજન કરાયું હતું