સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદે ક્યાંક તારાજી સર્જી છે તો ક્યાંક વાવણીને લઇને ખુશી પ્રસરી છે. મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદથી કુદરતની રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે, જેમાં પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપરુ, નવસારી તેમજ અમદાવાદા સહિતના જિલ્લાઓઓ સમાવેશ થાય છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે તો કેટલાય રોડને સીધી અસર પહોંચી છે.
પંચમહાલ જિલ્લામાં મોડી રાત્રે વરસાદે તારાજી સર્જી અને 22 જેટલા અબોલા પશુઓના મોત નિપજ્યા છે જ્યારે 6 પશુઓ તણાયાના સમાચાર મળી રહ્યા છે. રવિવાર મોડી રાત્રે વરસાદે વરસ્યો હતો, જેને લઇને ઘર આંગણે બાંધી રાખેલા 50 પશુઓ પૈકી 28 પશુઓને નુકસાન પહોંચ્યું હોવાની વિગતો મળી છે. અચાનક પાણીનું સ્તર વધતા ઘર આંગણે બાંધેલા 50 પશુઓ પૈકી 28 પશુઓ છોડી નહીં શકતા આ ઘટના ઘટી હતી. ઘટનાને પગલે પંચમહાલ પશુપાલન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.